બ્રેકિંગ ન્યુઝ
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
VTV / ગુજરાત / Code of conduct applied in Gujarat, so many restrictions for government-ministers, no new work either
Dinesh
Last Updated: 02:47 PM, 18 March 2024
લોકસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આદર્શ આચારસંહિતા અમલી બનતા હવેથી મંત્રીઓ અને સત્તાધીશો કોઈપણ નવી જાહેરાત નહીં કરી શકે. નવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ પણ નહિ થઈ શકે. રાજ્ય સરકાર નીતિ વિષયક બાબતો કે નવી જાહેરાત નહીં કરી શકે. હેડ ક્વાર્ટરથી કચેરી સુધી જ મંત્રીઓ વાહનનો ઉપયોગ કરી શકશે.
ADVERTISEMENT
મંત્રીઓ વાહનનો ઉપયોગ માત્ર હેડ ક્વાર્ટરથી કચેરી સુધી કરશે
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે સરકારી તમામ કાર્યક્રમો પણ આચરસંહિતાને લઈ હવે બંધ રહેશે. હેડ ક્વાર્ટરથી કચેરી સુધી જ મંત્રીઓ વાહનનો ઉપયોગ કરી શકશે. મંત્રીઓ રાજકીય પ્રવૃત્તિ માટે સરકારી વાહનનો ઉપયોગ નહીં કરી શકે તેમજ ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ પણ નહીં કરી શકે. પ્રધાનમંત્રી કે રાજકીય મહાનુભાવો સુરક્ષાની દ્રષ્ટિએ સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે. અત્રે જણાવીએ કે, સરકારી કર્મચારી કે અધિકારીઓને ચૂંટણી પ્રચારમાં સાથે લઈ જઈ શકાશે નહી.
ADVERTISEMENT
આદર્શ આચાર સંહિતામાં આ કાર્યો નહિ થાય
વાંચવા જેવું: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરે ગર્ભવતી મહિલા સાથે છેડતી કરી, પોલીસ કેસ દાખલ
ક્યાં સુધી અમલમાં રહેશે
ચૂંટણીની તારીખો જાહેર કરી છે. તેની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ ગઈ છે. આ વખતે આચાર સંહિતા આજથી એટલે કે 16 માર્ચ 2024થી લાગુ થઈ છે. કારણ કે ચૂંટણી પંચ આજે શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ આચારસંહિતાનો અંત આવી જાય છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT