બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / વિશ્વ / Bill Gates congratulated PM Modi on completion of 200 crore vaccinations in India.
ParthB
Last Updated: 08:08 AM, 20 July 2022
અમેરિકા પછી ભારત કોરોના વાયરસના સંક્રમણને કારણે વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં કોરોનાના નિવારણ માટે યુદ્ધના ધોરણે કોરોના રસીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતે 200 કરોડ રસીકરણનો આંકડો પાર કર્યો છે.જેના પર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.
Microsoft's co-founder Bill Gates congratulates PM Narendra Modi pertaining to the achievement of administering 200 crore Covid-19 vaccinations pic.twitter.com/ZhHOYaTsIg
— ANI (@ANI) July 19, 2022
માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે PM મોદીને અભિનંદન પાઠવ્યા
માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. બિલ ગેટ્સે ટ્વિટર પર લખીને PM મોદીને કોરોનાની અટકાવવા માટે 200 કરોડ રસીકરણનો વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ19ની અસરને ઓછી કરવા માટે અમે ભારતીય રસી ઉત્પાદકો અને ભારત સરકાર સાથેની અમારી સતત ભાગીદારી માટે આભારી છીએ.
અત્યાર સુધીમાં 3.80 કરોડથી વધુ કિશોરોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપયો
તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી બે અબજથી વધુ ડોઝ આપનારો બીજો દેશ બની ગયો છે. અત્યાર સુધી, ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.આમ ભારતમાં, 12-14 વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022 ના રોજ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 3.80 કરોડથી વધુ (3,80,72,341) કિશોરોને COVID-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે, 10મી એપ્રિલ, 2022ના રોજ 18-59 વર્ષની વય જૂથ માટે પ્રી-કોશન ડોઝ પણ શરૂ કરવામાં આવ્યો હતો.
Over #200CroreVaccinations is a massive & matchless achievement! pic.twitter.com/CL8GZawkRI
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 18, 2022
ભારત કોરોના રસીકરણમાં બીજો દેશ બન્યો
આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, 17 જુલાઈ, 2022.. આ દિવસ હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યું, અમારા માટે ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં લોકોને 2 અબજ કોરોના ડોઝ આપ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું.
India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM
— Narendra Modi (@narendramodi) July 17, 2022
PM મોદીએ કહ્યું ભારતે ફરી ઈતિહાસ રચ્યો
PM મોદીએ ટ્વિટ કર્યું કે ભારતે ફરી ઈતિહાસ રચ્યો. 200 કરોડ રસીના ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. ભારતના રસીકરણ અભિયાનને અદ્રિતીય બનાવવામાં યોગદાન આપનારાઓ પર ગર્વ છે. તેનાથી કોરોના સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી મળી છે. તેમણે કહ્યું કે, વેક્સીનના રોલઆઉટ દરમિયાન, ભારતના લોકોએ વિજ્ઞાનમાં નોંધપાત્ર વિશ્વાસ દર્શાવ્યો છે.અપાણા ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન વર્કર્સ, વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોએ સુરક્ષિત ગ્રહ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું તેની ભાવના અને નિશ્ચયની પ્રશંસા કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army