બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ફેશન અને સૌંદર્ય / best benefits of rice water to wash hair

ફાયદાકારક / વાળની બધી જ સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે આ મેજિકલ પાણી, લગાવશો તો થશે જબરદસ્ત અસર

Noor

Last Updated: 10:01 AM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો વાળ ખરતાં રોકવા હોય અને વાળની સમસ્યાઓથી કાયમી છુટકારો જોઈએ તો એકવાર આ ઉપાય અજમાવી લો.

  • ચોખાના પાણીથી વાળ ધોવાથી વાળ મજબૂત બને છે 
  • વાળને મજબૂત બનાવવા ઘરેલૂ ઉપાય અજમાવો
  • વાળ માટે નુસખાઓ બેસ્ટ અસર કરે છે

ચોખાને ધોયા બાદ જે પાણી વધે છે તેને આપણે બેકાર માનીને ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે ચોખાનું આ પાણી સ્કિન અને વાળ માટે કેટલું ફાયદાકારક છે. જી હાં, તેના ઉપયોગથી વાળ સુંદર અને ભરાવદાર બને છે. ચોખા ધોયા પછી જે પાણી બચે છે તેમાં સ્ટાર્ચ અને વાળમાં જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે વાળને મજબૂત બનાવવાની સાથે વાળની કેટલીક સમસ્યાઓ પણ દૂર કરે છે. તો ચાલો જાણી લો આજે ચોખાનું પાણી કઈ રીતે તમારા વાળ માટે લાભકારી છે. 

વાળ ખરતાં થઈ જશે બંધ

જો તમારા વાળ પુષ્કળ તૂટતા અને ખરતાં હોય તો તમારા વાળમાં ચોખાના પાણીથી સ્પ્રે કરી પછી હળવા હાથે મસાજ કરો. તેનાથી વાળ મજબૂત બનશે . એમિનો એસિડ, વિટામિન અને મિનરલ્સની કમીને કારણે આવું થતું હોય છે. સાથે જ ચોખાના પાણીનો આ ઉપાય વાળ વધારવામાં પણ મદદ કરે છે. નહાવાના એક કલાક પહેલાં આ ઉપાય કરો. 

ડ્રાય અને બેજાન વાળ 

પ્રદૂષણ અને કેમિકલવાળા શેમ્પૂ, તેલનો ઉપયોગ કરવાથી અને ડાયટમાં ધ્યાન ન આપવાથી વાળ ડ્રાય અને બેજાન થઈ જાય છે અને તેની શાઈન પણ જતી રહે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો શેમ્પૂ કર્યા બાદ ચોખાનું પાણી વાળમાં સ્પ્રે કરી હળવા હાથે મસાજ કરો અને પછી 5 મિનિટ બાદ પાણીથી વાળ ધોઈ લો. 

ખોડો થઈ જશે દૂર

જો તમને ખોડાની સમસ્યા હોય તો ચોખાનું પાણી બહુ જ ફાયદો કરી શકે છે. તેનાથી સ્કેલ્પમાં રહેલો ખોડો દૂર થાય છે. તેના માટે ચોખાના પાણીમાં થોડો શિકાકાઈ પાઉડર મિક્સ કરીને વાળમાં લગાવો. પછી 1 કલાક બાદ વાળ ધોઈ લો. વાળમાં ખુજલીની સમસ્યા થતી હોય તો નારિયેળ તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવો અને કલાક બાદ ધોઈ લો

વાળને બનાવે છે મુલાયમ

શેમ્પૂ વાળને સાફ કરવા અને સિલ્કી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે પણ તેમાં રહેલાં હાનિકારક કેમિકલ્સને કારણે તેનો ઉપયોગ વાળને નબળાં બનાવી દે છે. ચોખાનું પાણી પણ એક બેસ્ટ નેચરલ શેમ્પૂ છે. તમે તેમાં આમળાનો પાઉડર, શિકાકાઈનો પાઉડર અને નારંગીની છાલનો પાઉડર મિક્સ કરીને વાળમાં લગાવો અને પછી અડધાં કલાક બાદ વાળ ધોઈ લો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ