બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / Bangladesh connection of terrorists caught from Rajkot, shocking revelation about online weapon training
Malay
Last Updated: 08:51 AM, 4 August 2023
રાજકોટના સોનીબજારમાં કારીગર તરીકે કામ કરતાં 3 આતંકીઓ ઝડપાયા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. ત્યારે આતંકીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ત્રણેય બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાના આદેશની રાહ જોઇ રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ત્રણ આતંકીઓ તેમના પાસે રહેલા હથિયારને ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ પણ લેતા હતા. આતંકીઓ પાસે મળી આવેલા સેમિ ઓટોમેટિક હથિયારો કેવી રીતે ચલાવવા તેને લઇને આતંકીઓને તેમના આકાઓ ઓનલાઇન ટ્રેનિંગ આપતા હતા. જોકે ટ્રેનિંગ બાદ કોઇ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો આદેશ મળે તે પહેલા જ આતંકીઓને ઝડપી લેવાતાં ગુજરાતમાં સંભવિત આતંકી હુમલાની ઘાત ટળી છે.
ત્રણેય આતંકી 9 મહિનાથી રહેતા હતા રાજકોટમાં
પોલીસ તપાસમાં આતંકીઓએ કબૂલ્યું કે તેઓ છેલ્લા 9 મહિનાથી રાજકોટ રહેતા હતા. સમગ્ર મામલે પોલીસે હથિયારો ક્યાંથી આવ્યા અને હથિયારો કોણ સપ્લાય કરી રહ્યું છે તેને લઇને તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ બાંગ્લાદેશમાં સક્રિય થયેલા અલકાયદાના હજુ કેટલા હેન્ડલર ગુજરાત અને દેશના ખુણે ખુણે છુપાયેલા છે તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલિંગ કર્યું છે. પોલીસે જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે. એ-ડિવિઝન પોલીસે સોની બજારમાં દુકાન અને મકાન ભાડે આપનાર મકાન માલીકો સામે ગુના દાખલ કર્યા છે.
પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી બાજુ સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સોની કારીગરો તરીકે કામ કરી રહેલા આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સોનીબજાર સહિત તમામ દુકાનો તેમજ ઔધૌગિક એકમોમાં કામ કરતાં લોકોની નોંધણી ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે. ઉપરાંત રાજકોટમાં ભાડે રહેતા લોકો અને કારખાનાઓ માટે પણ ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. તમામ ઉદ્યોગ અને દુકાનમાલિકોને પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓના દસ્તાવેજ સહિતની નોંધણી ગુજરાત સરકારના પોર્ટલ પર કરી, તેની નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.
કારીગરોની ફરજિયાત નોંધણી કરાવવા આદેશ
મહત્વનું છે કે રાજકોટમાં જે સોનીબજારમાંથી આતંકીઓ ઝડપાયા છે ત્યાં હાલ 60થી 70 હજાર બંગાળી સોનીકામના કારીગરો કામ કરી રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનો રેકોર્ડ અને ઓળખપત્રોની નોંધણી માટે પોલીસે આદેશ કર્યો છે. તો જાહેરનામો ઉલ્લંઘન કરવા બદલ જે તે મકાન, દુકાન કે એકમના માલિક વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
સોની બજારમાંથી ઝડપાયા હતા આતંકીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે બે સોમવારે રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army