બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Bangladesh connection of terrorists caught from Rajkot, shocking revelation about online weapon training

મોટો ખુલાસો / રાજકોટથી ઝડપાયેલા આતંકીઓનું સામે આવ્યું બાંગ્લાદેશ કનેક્શન, હથિયારની ઓનલાઈન ટ્રેનિંગને લઇ થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

Malay

Last Updated: 08:51 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાંથી ઝડપાયેલા 3 આંતકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય આતંકીઓ તેમના આકાના આદેશની રાહ જોતા હતા, જોકે ટાસ્ક મળે એ પહેલાં જ ગુજરાત ATSએ ત્રણેયને ઝડપી પાડ્યા.

  • અલકાયદાના આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં
  • રાજકોટમાં કારીગરો અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
  • કારીગરોને નોકરી રાખતા પહેલા કરાવવી પડશે નોંધણી
  • ત્રણેય આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

રાજકોટના સોનીબજારમાં કારીગર તરીકે કામ કરતાં 3 આતંકીઓ ઝડપાયા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. ત્યારે આતંકીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ત્રણેય બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાના આદેશની રાહ જોઇ રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ત્રણ આતંકીઓ તેમના પાસે રહેલા હથિયારને ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ પણ લેતા હતા. આતંકીઓ પાસે મળી આવેલા સેમિ ઓટોમેટિક હથિયારો કેવી રીતે ચલાવવા તેને લઇને આતંકીઓને તેમના આકાઓ ઓનલાઇન ટ્રેનિંગ આપતા હતા. જોકે ટ્રેનિંગ બાદ કોઇ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો આદેશ મળે તે પહેલા જ આતંકીઓને ઝડપી લેવાતાં ગુજરાતમાં સંભવિત આતંકી હુમલાની ઘાત ટળી છે. 

ત્રણેય આતંકી 9 મહિનાથી રહેતા હતા રાજકોટમાં 
પોલીસ તપાસમાં આતંકીઓએ કબૂલ્યું કે તેઓ છેલ્લા 9 મહિનાથી રાજકોટ રહેતા હતા. સમગ્ર મામલે પોલીસે હથિયારો ક્યાંથી આવ્યા અને હથિયારો કોણ સપ્લાય કરી રહ્યું છે તેને લઇને તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ બાંગ્લાદેશમાં સક્રિય થયેલા અલકાયદાના હજુ કેટલા હેન્ડલર ગુજરાત અને દેશના ખુણે ખુણે છુપાયેલા છે તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલિંગ કર્યું છે. પોલીસે જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે. એ-ડિવિઝન પોલીસે સોની બજારમાં દુકાન અને મકાન ભાડે આપનાર મકાન માલીકો સામે ગુના દાખલ કર્યા છે. 

Tag | VTV Gujarati

પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી બાજુ સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સોની કારીગરો તરીકે કામ કરી રહેલા આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સોનીબજાર સહિત તમામ દુકાનો તેમજ ઔધૌગિક એકમોમાં કામ કરતાં લોકોની નોંધણી ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે. ઉપરાંત રાજકોટમાં ભાડે રહેતા લોકો અને કારખાનાઓ માટે પણ ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. તમામ ઉદ્યોગ અને દુકાનમાલિકોને પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓના દસ્તાવેજ સહિતની નોંધણી ગુજરાત સરકારના પોર્ટલ પર કરી, તેની નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. 

કારીગરોની ફરજિયાત નોંધણી કરાવવા આદેશ
મહત્વનું  છે કે રાજકોટમાં જે સોનીબજારમાંથી આતંકીઓ ઝડપાયા છે ત્યાં હાલ 60થી 70 હજાર બંગાળી સોનીકામના કારીગરો કામ કરી રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનો રેકોર્ડ અને ઓળખપત્રોની નોંધણી માટે પોલીસે આદેશ કર્યો છે. તો જાહેરનામો ઉલ્લંઘન કરવા બદલ જે તે મકાન, દુકાન કે એકમના માલિક વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. 

સોની બજારમાંથી ઝડપાયા હતા આતંકીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે બે સોમવારે રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ