બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Bijal Vyas
Last Updated: 07:10 PM, 16 May 2023
Reduce cholesterol and blood pressure: હૃદય રોગ દુનિયાભરમાં મોતનું સૌથી મોટુ કારણ છે, હૃદયથી જોડાયેલા રોગોના કારણથી દરવર્ષે લગભગ 17.9 મિલિયન લોકોનુ મોત થાય છે. તેવામાં હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી છે. હદય સાથે જોડાયેલા રોગોના અનેક કારણ છે જેમાંથી તમારી ડાયટ પણ સામેલ છે. તમે શું ખાવો-પીવો છો, તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.
ફેટથી ભરપુર વસ્તુઓ અને દારુનુ સેવન કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલ એક એવો પદાર્થ છે, જે લોહીની નસોને બ્લોક કરે છે, અને શરીરમાં બ્લડ ફ્લોને રોકે છે, જેનાથી હૃદય સાથે જોડાયેલા રોગ, હાર્ટ એટેક અને મગજનો એટેક એટલે કે સ્ટ્રોકનો ભય વધારે રહે છે. જો તમે તમારા હદયને સ્વસ્થ્ય અને મજબૂત કરવા ઇચ્છો છો. તો આવો જાણીએ, ડાયટીશિયન આ વસ્તુને પોતાની ડાયેટમાં શામેલ કરો.
હૃદયને સ્વસ્થ્ય રાખવા માટે શું ખાવુ જોઇએ
અનાજ
પોતાના ખોરાકમાં રિફાઇન્ડ અનાજ જેવા કે સફેદ પાસ્તા, સફેદ બ્રેડ વગેરેની જગ્યાએ આખા અનાજ વાળી વસ્તુઓને સામેલ કરો. અનાજમાં ફાઇબર, વિટામિન, મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે, અને તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલમાં રાખે છે.
અળસીના બીજ
દરરોજ એક ચમચી અળસીના બીજનું સેવન કરવાથી તમે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો અને તેને ગંભીર લેવલ પર જતા રોકી શકાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. દરરોજ લગભગ ચાર ચમચી અળસીના બીજ ખાવાથી તમને ફાયદો થઈ શકે છે. અળસીના બીજમાં જોવા મળતું આલ્ફા-લિનોલેનિક એસિડ હૃદય રોગ ધરાવતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે.
નટ્સ
નટ્સમાં અનસૈચુરેટ ફેટ હોય છે અને સૈચુરેટ ફેટ ઓછુ હોય છે. નટ્સ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. નટ્સ ફાઇબરથી ભરેલુ હોય છે, જે કોલેસ્ટ્રોલને લોહીના પ્રવાહમાં શોષાતા અટકાવવામાં મદદ કરી શકે છે. હૃદયને સ્વસ્થ રાખવાનારા નટ્સમાં બદામ, મગફળી, અખરોટ, હેઝલનટ્સ અને પિકૈન સામેલ છે.
સોયા
સોયા ઉત્પાદનો જેમ કે ટોફુ, ટેમ્પેહ, એડામેમ અને સોયા દૂધ હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ વિકલ્પ છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે, સોયા ઉત્પાદનોને માંસ અને ક્રીમ જેવા સૈચુરેટ ફેટથી ભરેલી વસ્તુઓના બદલે ઉત્પાદનનું સેવન કરવાનો વધુ સારો વિચાર છે.
બીટનો રસ
બીટનો રસ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતો છે. તેમાં નાઈટ્રેટ (NO3) ભરપૂર માત્રામાં હોય છે જે હાઈ બીપી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. દરરોજ એક ગ્લાસ બીટનો રસ પીવાથી રક્ત વાહિનીઓમાં બળતરાના લક્ષણોને ઘટાડવામાં મદદ મળી શકે છે, જે કોરોનરી હૃદય રોગ ધરાવતા લોકો માટે એક મોટી સમસ્યા છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army