બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Malay
Last Updated: 10:51 AM, 22 August 2023
Ahmedabad News: અમદાવાદમાં 17 વર્ષની કિશોરીને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરનારા પાદરી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. સેશન્સ કોર્ટ દ્વારા પાદરી ગુલાબન પરીખન મસીહને 3 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, સમાજને ગેરમાર્ગે દોરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા પાદરી સામે દાખલારૂપ સજા થવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાદરીને સજા થયાનો આ પ્રથમ કિસ્સો છે.
વોટ્સએપ પર કરતો મેસેજ
આ કેસ અંગે માહિતી પીડિતાના વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 11ની સગીરાને તેની પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા ગુલાબન પરીખન મસીહ નામના પાદરી સાથે ઓળખાણ થઈ હતી. જે પાદરીએ સગીરા સાથે મિત્રતા કરીને તેના ઘરે જઈને ધર્મની વાતો કરવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે પાદરીની ઘરે આવનજાવન વધી જતાં વોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી. જે બાદ પાદરી સગીરાના વોટ્સએપ નંબર પર 'આઈ લવ યુ'ના મેસેજ કરતો હતો.
સ્ક્રિનશોટ પાડી લીધા બાદ શરૂ કર્યું હતું બ્લેકમેઇલિંગ
તેઓએ કહ્યું કે, પાદરી કિશોરી સાથે વોટ્સએપ પર વીડિયો કોલથી વાતો કરતો હતો. જે બાદ તેણે વીડિયો કોલમાં સગારીના કપડા ઉતરાવીને તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા. અસલી ખેલ અહીંથી શરૂ થયો, પાદરીએ કિશોરીના અભદ્ર સ્ક્રિનશોટ પાડી લીધા બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું, તેને હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
માઈન્ડ વોશ કરવાનું કર્યું શરૂ
આ બાબતે કિશોરીએ આ બાબતે ઈનકાર કરતા તેને અને તેના પરિવારને અનેક પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવ્યા. પાદરીએ 2 યુવકોને સગીરાના ઘરે મોકલી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પાદરીએ તેના અનુયાયીઓ સાથે સગીરાના ઘરે જઈને મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિ જોઈને કહ્યું કે 'આ તો શેતાનની મૂર્તિ છે, તેને ઘરમાં ન રખાય.' જે બાદ તેણે મૂર્તિ તોડી નાખી અને ઘરમાં બાઈબલ મુકી દીધી. જે બાદ તમામનું માઈન્ડ વોશ કરવાનું શરૂ કર્યું હતું.
વાયરલ કરી દીધા ફોટા
વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, ધર્મ પરિવર્તનના અનેક પ્રયાસ કરવા છતાં સગીરા અને તેના પરિવારજનો એકના બે ન થતાં પાદરીએ સગીરાના ફોટા વાયરલ કરી દીધા હતા. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, જે બાદ આ કેસ કોર્ટમાં ચાલી જતાં પાદરી ગુલાબન પરીખન મસીહને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અન્ય કોઈ આવું કૃત્ય ન કરે તે માટે પાદરીને સજા આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ