બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / 1000 meters above sea level the beauty of Don Hill Station
Arohi
Last Updated: 07:12 PM, 1 July 2021
ADVERTISEMENT
ફરવાના શોખીનો માટે ગુજરાતમાં હિલ સ્ટેશનનો એક માત્ર વિકલ્પ આબુ હોય છે. ત્યાં જવા માટે પણ રાજસ્થાન બોર્ડર સુધી દૂર જવું પડે છે. પરંતુ આજે અમે તમને એક એવા હિલ સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે. જે ગુજરાતનું પોતાનું હિલ સ્ટેશન છે. જે સાપુતારા અને આબુને પણ ટક્કર આપે તેવું છે.
Nestled 1000 meters above sea level, the beauty of Don Hill Station will keep you engrossed in its purity. Bask in the bliss of Don Hills & wander into the lap of nature! #GujaratTourism #ExploreGujarat #hillstation #Dang #Westernghat #Indiatravel pic.twitter.com/AtB6jD3Kbk
— Gujarat Tourism (@GujaratTourism) June 30, 2021
ADVERTISEMENT
ટ્રેકિંગના શોખીનો માટે બેસ્ટ જગ્યા
હજુ સુધી ઘણા ઓછા લોકો આ હિલ સ્ટેશન વિશે જાણે છે. આ હિલ સ્ટેશનનું નામ છે 'ડોન હિલ સ્ટેશન' જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે. આહવાથી ડોન હિલ સ્ટેશન તરફ જવાનો રસ્તો ફક્ત 38 કિલોમીટરનો છે. આ હિલ સ્ટેશન સાપુતારા કરતા પણ 17 મીટર ઉંચુ છે અને સાથે જ તેના કરતા 10 ગણો મોટો વિસ્તાર ઘરાવે છે. આ હિલ સ્ટેશન લગભગ 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ટ્રેકિંગના શોખીન લોકો માટે આ સ્થળ બેસ્ટ છે.
શું છે પૈરાણીક મહત્વ?
માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ, માતા સીતા, હનુમાનજીની દંતકથાઓ પણ જોડાયેલી છે. આ હિલ સ્ટેશનનું નામ પડવાની પાછળ એક રસપ્રદ વાત પણ જોડયેલી છે. માન્યતા છે કે રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનું આશ્રમ હતું. અને વનવાસ વખતે ભગવાન રામ અને સીતા પણ અહીં આવ્યા હતા. ગુરૂ દ્રોણનું આશ્રમ અહીં હોવાના કારણે આ જગ્યાને દ્રોણ તરીકે ઓળખવામાં આવતી હતી અને ત્યારે બાદ તેનું અપભ્રંશ થઈને આ હિલ સ્ટેશનનું નામ ડોન થઈ ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT