બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Politics / Wrestlers protest: Who is brijbhushan Sharan Singh, Why BJP is not taking action against him, What is his political history
Vaidehi
Last Updated: 06:39 PM, 28 April 2023
UPની કેસરંગજ લોકસભા સીટનાં સાંસદ બૃજભૂષણ શરણસિંહ ભલે દિલ્હીની રાજનીતિમાં ચર્ચાનો વિષય ન હોય પરંતુ ઉત્તરપ્રદેશમાં તેમની બોલબાલા જોવા મળે છે. અયોધ્યાથી બસ્તી સુધીમાં તેમનું મોટું નામ છે. તેઓ સપાથી લઈ ભાજપ સુધીનાં સાંસદ રહી ચૂક્યાં છે. હાલમાં તેઓ ભાજપમાં છે અને કુશ્તી મહાસંઘનાં અધ્યક્ષ પણ છે.
રાજનૈતિક કારણોને લીધે ભાજપ મૌન
યૌન શોષણનાં મામલામાં હાલ બૃજભૂષણ શરણસિંહ આરોપોની વચ્ચે ઘેરાયેલા છે એટલું જ નહીં આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે ત્યારે સવાલ એ છે કે ભાજપ શા માટે હજુ સુધી ચુપ્પી ધારણ કરીને બેઠી છે? ભાજપ અને સરકાર આ મુદાને લઈને કોઈ ઊતાવળ નથી કરી રહી જેનાં કેટલાક રાજનૈતિક કારણો હોઈ શકે છે.
100 કિલોમીટરનાં વિસ્તારમાં ઘણું પ્રભુત્વ
બૃજભૂષણ શરણસિંહનું કેટલીક લોકસભા સીટો પર રાજનૈતિક પ્રભુત્વ છે. તે કુશ્તીનાં પણ મોટા ખેલાડી રહી ચૂક્યાં છે. 1991માં પહેલીવાર લોકસભાની ચૂંટણી જીતનારા બૃજભૂષણ ત્યારથી સાંસદ રહેતાં આવ્યાં છે. રાજપૂત ખાનદાનમાંથી આવનારાં બૃજભૂષણ શરણસિંહ સામાન્ય પરિવારથી આવીને પોતાનું વર્ચસ્વ અનેક જિલ્લાઓમાં સ્થાપિત કર્યું છે. ગોંડા, બલરામપુર, બસ્તી, શ્રાવસ્તી, અયોધ્યા સુધઈ આશરે 100 કિલોમીટરનાં વિસ્તારમાં તેમનો પ્રભાવ છે. એટલું જ નહીં રાજનીતિમાં આગળ વધ્યાં બાદ બૃજભૂષણે આશરે 50 જેટલા શિક્ષણ સંસ્થાનો પણ શરૂ કર્યાં છે. તેમનું એક ઘણું મોટું નેટવર્ક છે. નેતાજીનાં નામથી ઓળખાતા બૃજભૂષણની ઈમેજ આ સમગ્ર વિસ્તારોમાં ઘણી સારી અને ગૌરવવંતી છે.
સંઘથી પણ સારા સંબંધો
2009માં સપાથી જીત મેળવનારા બૃજભૂષણે ભાજપનાં જ ઉમેદવારને માત આપી હતી. જો કે તેમની ઈમેજ હિંદુત્વવાળી છે તેના કારણે ભાજપમાં આવ્યાં પહેલાં તેઓ RSS સાથે જોડાયેલા હતાં. VHPનાં અધ્યક્ષ અશોક સિંઘલનાં તેઓ નજીકી માનવામાં આવતાં હતાં. રામ મંદિર આંદોલન દરમિયાન તેઓ અયોધ્યામાં જ ભણી રહ્યાં હતાં અને બાબરી મસ્જિદ મામલા દરમિયાન પણ તેઓ ત્યાં હતાં. પાછળથી તેઓ વાજપેયીનાં સંપર્કમાં આવ્યાં જેનો ફાયદો ટીકિટનાં રૂપે તેમને મળ્યો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ