બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / the new york times says indias covid deaths are 14 times higher than govt count
Hiralal
Last Updated: 09:28 PM, 26 May 2021
ADVERTISEMENT
ભારતમાં કોરોનાથી થનાર મોતના આંકડા પર અવારનવાર સવાલ ઉઠતાં રહ્યાં છે. સરકારી આંકડાઓને પણ ખોટા ગણાવાઈ રહ્યાં છે. સ્મશાન ઘાટો અને નદીઓની તસવીર સરકારી ડેટાને ખોટા ઠેરવી રહી હોવાનું લાગી રહ્યાં છે. સરકારી આંકડામાં તો 3 લાખ લોકોના કોરોનાથી મોત થયાં હોવાનુ જણાવાય છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પણ કોરોનાથી મોતના આંકડાને ખોટા ઠેરવી દીધા છે.
ADVERTISEMENT
જે આંકડા સરકાર આપી રહી છે તે હકીકત કરતા અલગ
ન્યૂયોર્ક ટાઈમ્સની 25 મેએ પ્રસિદ્ધ ખબરમાં જણાવાયું છે કે જે આંકડા સરકાર આપી રહી છે તે હકીકત કરતા અલગ છે. સરકારી ડેટા કહે છે કે કોરોનાથી ભારતમાં મરનાર લોકોની સંખ્યા 3.07 ટકા છે પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સને મોતની ટકાવારી 14 ગણી વધારે લાગી રહી છે એટલે કે ભારતમાં 42 લાખ લોકોના મોત થયા હોવાનો અખબારનો દાવો છે.
ત્રણ નેશનલ સીરો સરવે, 12 એક્સપર્ટના અભિપ્રાયને આધારે કરાયો આ દાવો
ન્યૂયોર્ક ટાઈમ્સે ત્રણ નેશનલ સીરો સરવેના અધ્યયનની ઉપરાંત 12 એક્સપર્ટના અભિપ્રાયને આધારે આ તારણ આપ્યું છે.
ગામડાઓમાં થનાર મોતના આંકડાને સરકારી રેકોર્ડમાં સામેલ કરાતા નથી
અખબારે જણાવ્યુંકે ભારતમાં સારી રીતે ટેસ્ટિંગ થતું નથી કે મોતના આંકડાનો પણ સારી રીતે રેકોર્ડ રાખવામાં આવતો નથી. કોરોનાના દર્દીઓ ઘેર જ મરી રહ્યાં છે. ગામડાઓમાં થનાર મોતના આંકડાને સરકારી રેકોર્ડમાં સામેલ કરાયા નથી.
અડધું ભારત કોરોનાની ઝપટમાં
અમેરિકાના આ અખબારનું એવું પણ કહેવું છે કે અડધું ભારત કોરોનાની ઝપટમાં છે પરંતુ સરકાર આ હકીકતને છુપાવી રહી છે જેનાથી પરિસ્થિતિ વધારે બગડી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT