ચૂંટણી આવે એટલે ભાજપ નાત -જાતની રાજનીતિ રમશે, ઓલપાડના ધારાસભ્યએ વિધાનસભામાં કોઇ મુદ્દો ઉઠાવ્યો નથીઃ સુરતના ઓલપાડમાં હાર્દિક પટેલની સભા
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું નિવેદન
હોર્દિકે ભાજર પર પ્રહાર કર્યા
"ભાજપ વાયદા પુરા ન કરે ત્યાં સુધી વિરોધ કરીશ"
સુરતના ઓલપાડ ખાતે લોક દરબારમાં હાર્દિક પટેલે નિવેદન આપતા લોકોને અપીલ કરી કે, ભાજપ ધારાસભ્યને તમારા વિસ્તારમાં ઘુસવા ન દેતા, ભાજપ આપેલા વાયદા પુરા ન કરે ત્યાં સુધી વિરોધ કરીશ. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી સહિત અનેક નવી પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. જે અંતર્ગત હાર્દિક પટેલ સુરત પહોંચ્યા હતા. જ્યાં સી.આર પાટીલના ગઢમાં ભાજપને લલકારતા કહ્યું કે, ચૂંટણી આવે એટલે ભાજપ નાત -જાતની રાજનીતિ રમશે. ઓલપાડના ધારાસભ્યએ વિધાનસભામાં કોઇ મુદ્દો ઉઠાવ્યો નથી. મુકેશ પટેલે એકવાર પણ તમારી સમસ્યા વિધાનસભામાં કહી નથી. સરકાર ગમે તેટલા કેસ કરી અમને ફસાવે અમે જેલના સળિયા તોડી બહાર નિકળી વિરોધ કરીશું.
રાજકોટમાં પ્રો.વઘાસિયાની મદદ બાદ ભાજપ પર કર્યા હતા પ્રહાર
24 ઓગસ્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં કોમામાં સરી પડેલા પ્રોફેસર વઘાસિયા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. કોરોનાની સારવાર બાદ પ્રોફેસર વઘાસિયા છેલ્લા 4 મહિનાથી કોમામાં છે. અને આ દરમિયાન તેમના ઘરે એક બાળકોનો પણ જન્મ થયો છે. પ્રોફેસર પોતાના બાળકના જન્મ વિશે પણ જાણતા નથી. તો સાથે ખોડલધામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પાટીદાર એટલે ભાજપ, તેના પર હાર્દિકે પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું કે, પટેલ સમાજ કોઈનો ગુલામ નથી. ભાજપને આ ફાંકો હોય તો કાઢી નાખે. પ્રો.વઘાસિયા સાહેબને આટલી તકલીફ છે. છતાં ભાજપનો કોઈ નેતા તેમની જાણકારી લેવા આવ્યો નથી. ભાજપે સમાજને ગુમરાહ કરવા જોઈએ નહીં.
હાર્દિક પટેલ દ્વારા પ્રો.વઘાસિયાને આર્થિક મદદ
રાજકોટની પોલિટેક્નિકમાં પ્રોફેસર વઘાસિયા હાલ કોમામાં છે. અને પરિવારને આર્થિક મદદ માટે હાર્દિક અને તેની ટીમ રાજકોટ પહોંચી હતી. સાથે 1 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. જે બાદ ભાજપ પર પ્રહારો કર્યા હતા.