દૂધમાં ભેળસેળના નામે સમાચારો ઉછાળવા તે મોટું ષડયંત્ર છે. ચીને ખોટી માંગ ઉભી કરી છે. અને અમૂલનામની વિશ્વ પ્રસિદ્ધ કંપનીને દૂધના નામે વગોવવામાં આવે છેઃ પરશોત્તમ રૂપાલા
કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાનું નિવેદન
દેશની છાપ ખરાબ કરવાનો પ્રયાસઃ રૂપાલા
ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ
અમરેલી ખાતે કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાનું નિવેદન કર્યુ હતું. તેમાં તેમણે જણાવ્યુ હતું કે દૂધના નામે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશને વગોવવાનો પ્રયાસ કર્યો હતો. દૂધમાં ભેળસેળના નામે સમાચારો ઉછાળવા તે મોટું ષડયંત્ર છે. ચીને ખોટી માંગ ઉભી કરી છે. અને અમૂલનામની વિશ્વ પ્રસિદ્ધ કંપનીને દૂધના નામે વગોવવામાં આવે છે. આમ ચીન સામે આડકતરા પ્રહારો કર્યા હતાં. તેમજ તેમણે ઉમેર્યુ હતું કે દેશની છાપ ખરાબ કરવાનો આ પ્રયાસ છે. ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
શું છે નકલી દૂધનો કારોબાર
18 ઓગસ્ટના દિવસે રાજકોટના ઉપલેટાના ઢાંક ગામની છે જ્યાં 10 હજાર લિટર ડુપ્લિકેટ દૂધના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નકલી દૂધના કાળા કારોબારીઓ તેમા કેમિકલ અને અન્ય વસ્તુઓની ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે. છેલ્લા 1 વર્ષથી આ રીતે કાળો કારોબાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જે બાદ સમગ્ર કાંડનો પર્દાફાશ થઈ ગયો. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના દૂધનો આહાર લેવાથી ગંભીર રોગનો શિકાર બની શકાય છે. કેટલાક કેમિકલના ઉપયોગથી કેન્સર સુધીના રોગ થવાની પણ શક્યતા છે. મહત્વનું છે કે, દૂધનો આહાર તમામ લોકો દ્વારા લેવામાં આવતો હોય છે. પરંતુ આ પ્રકારના કેમિકલયુક્ત દૂધનો વીડિયો સામે આવ્યા બાદ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે.