બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Politics / વિશ્વ / srilanka crisis gotabaya rajpaksa to fly singapore from maldives asked for private jet
Mayur
Last Updated: 08:59 AM, 14 July 2022
શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. લાંબી આર્થિક કટોકટી પછી જાહેર વિરોધ ફાટી નીકળ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા હતા. તેમના રાજીનામાંની અટકળો વચ્ચે હજુ સ્પીકરને રાજીનામું મળ્યું નથી.
તે માલદીવ ભાગી ગયા હતા. હવે ગોટાબાયા માલદીવથી સિંગાપોર જવાની તૈયારી કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજપક્ષેએ જનતાના વિરોધના ડરથી માલદીવ સરકાર પાસેથી સિંગાપોર જવા માટે ખાનગી જેટની માંગણી કરી હતી. ગોટાબાયા રાજપક્ષે હજુ પણ માલદીવમાં છે. તેઓ આજે મોડી રાત્રે સિંગાપોર જવાના હતા, પરંતુ પ્રાઈવેટ જેટની માંગણી બાદ તેઓ ફ્લાઈટ છોડીને જતા રહ્યા છે.
માલદીવમાં પણ વિરોધ, એરપોર્ટ પર ભારે સુરક્ષા
ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સમયે માલદીવથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે. જેના કારણે માલદીવના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે સુરક્ષા છે, જોકે, માલદીવમાં ગોટાબાયા વિરુદ્ધ પ્રદર્શન પણ થયા હતા. બીજી તરફ એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ પાસે રાહ જોઈ રહેલા પત્રકારોને સુરક્ષા અધિકારીઓએ હટાવી દીધા હતા.
ગોટાબાયા રાજપક્ષે બુધવારે રાજીનામું આપતા પહેલા માલદીવ ભાગી ગયા હતા. નવી સરકાર દ્વારા ધરપકડની શક્યતા ટાળવા માટે તેમણે દેશ છોડી દીધો.
લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા
બુધવારે સવારે રાજપક્ષે લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા પછી તરત જ શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. આ પછી, દેશમાં હોબાળો વચ્ચે ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
અત્યાર સુધીની સ્થિતિ
કોલંબોમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી રહેલા લોકોને રોકવા માટે દિવાલ તોડીને પ્રદર્શનકારીઓને હટાવવા માટે સેનાના જવાનોએ ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. આપને જણાવી દઈએ કે, શ્રીલંકાના ઈતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિનું પદ સમયથી પહેલા ખાલી થઈ રહ્યું છે. આ અગાઉ 1 મે 1993ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ આર. પ્રેમદાસાની હત્યાના કારણે આ પદ ખાલી થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા