બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / srilanka crisis gotabaya rajpaksa to fly singapore from maldives asked for private jet

ભાગમભાગ / માલદીવથી હવે સિંગાપુર ભાગવાની ફિરાકમાં શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટાબાયા, પ્રાઇવેટ જેટની કરી માંગ

Last Updated: 08:59 AM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં કટોકટી જાહેર થઈ ગઈ છે. હવે રાષ્ટ્રપતિ Gotabaya Rajapaksa માટે ભાગવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. માલદીવમાં પ્રદર્શનો થયા બાદ હવે તેઓ Singapore ભાગવા ઈચ્છે છે.

  • સિંગાપુર ભાગવાની ફિરાકમાં ગોટાબાયા 
  • હાલ માલદીવમાં લીધો છે અક્ષરો 
  • પ્રાઇવેટ જેટની માંગ કરી 

શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. લાંબી આર્થિક કટોકટી પછી જાહેર વિરોધ ફાટી નીકળ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા હતા. તેમના રાજીનામાંની અટકળો વચ્ચે હજુ સ્પીકરને રાજીનામું મળ્યું નથી. 

તે માલદીવ ભાગી ગયા હતા. હવે ગોટાબાયા માલદીવથી સિંગાપોર જવાની તૈયારી કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજપક્ષેએ જનતાના વિરોધના ડરથી માલદીવ સરકાર પાસેથી સિંગાપોર જવા માટે ખાનગી જેટની માંગણી કરી હતી. ગોટાબાયા રાજપક્ષે હજુ પણ માલદીવમાં છે. તેઓ આજે મોડી રાત્રે સિંગાપોર જવાના હતા, પરંતુ પ્રાઈવેટ જેટની માંગણી બાદ તેઓ ફ્લાઈટ છોડીને જતા રહ્યા છે.

માલદીવમાં પણ વિરોધ, એરપોર્ટ પર ભારે સુરક્ષા

ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સમયે માલદીવથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે. જેના કારણે માલદીવના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે સુરક્ષા છે, જોકે, માલદીવમાં ગોટાબાયા વિરુદ્ધ પ્રદર્શન પણ થયા હતા. બીજી તરફ એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ પાસે રાહ જોઈ રહેલા પત્રકારોને સુરક્ષા અધિકારીઓએ હટાવી દીધા હતા.

ગોટાબાયા રાજપક્ષે બુધવારે રાજીનામું આપતા પહેલા માલદીવ ભાગી ગયા હતા. નવી સરકાર દ્વારા ધરપકડની શક્યતા ટાળવા માટે તેમણે દેશ છોડી દીધો.

લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા

બુધવારે સવારે રાજપક્ષે લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા પછી તરત જ શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. આ પછી, દેશમાં હોબાળો વચ્ચે ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

અત્યાર સુધીની સ્થિતિ 

કોલંબોમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી રહેલા લોકોને રોકવા માટે દિવાલ તોડીને પ્રદર્શનકારીઓને હટાવવા માટે સેનાના જવાનોએ ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. આપને જણાવી દઈએ કે, શ્રીલંકાના ઈતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિનું પદ સમયથી પહેલા ખાલી થઈ રહ્યું છે. આ અગાઉ 1 મે 1993ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ આર. પ્રેમદાસાની હત્યાના કારણે આ પદ ખાલી થયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Gotabaya Rajapaksa Gujarati News srilanka crisis ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા gotabaya Rajpakasa
Mayur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ