બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
Arohi
Last Updated: 07:58 AM, 26 February 2024
મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા ભક્ત સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે છે. આ પાઠને ખબ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ પાઠથી વ્યક્તિના જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓ દૂર થાય છે. જો તમે અર્ગલા સ્ત્રોત, દુર્વા કવચ, કીલક, દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય નથી કરી શકતા તો ફક્ત સિદ્ધ કુંજિકાનો પાઠ કરવાથી આખા સપ્તશતી પાઠ બરાબર ફળની પ્રાપ્તિ થશે.
ADVERTISEMENT
ભગવાન શંકર કહે છે કે સિદ્ધ કુંજિકા પાઠ કરનારને દેવી કવચ, અર્ગલા, કીલક, રહસ્ય, સૂક્ત, ધ્યાન, ન્યાસ અને અહીં સુધી કે અર્ચન કરવાની પણ જરૂર નથી. ફક્ત કુંજિકાના પાઠ માત્રથી દુર્ગા પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.
આ મંત્રનો કરવો પડશે જાપ
સામાન્ય રીતે સાધક સંક્ષિપ્ત મંત્ર "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे॥"નો જાપ કરે છે. પરંતુ સિદ્ધ કુંજિકા સ્ત્રોતમાં સંપૂર્ણ મંત્ર આપવામાં આવ્યો છે જે આ પ્રકારે છે. "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। ॐ ग्लौं हुं क्लीं जूं स: ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा।।"
આ રીતે કરો પાઠ
સવારે 3.45 પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ઉત્તર દિશામાં જમીન પર બેસીને પવિત્ર થઈને પહેલા આચમન કરો. પછી કેટલા મંત્રનો પાઠ કરશો તેનો સંકલ્પ લો. પોતાની મનોકામનાઓ પણ મનમાં બોલો. ઓછામાં ઓછા 11 પાઠ સિદ્ધ કુંજિકાના કારણથી ઘરમાં ઉન્નતિ, ખુશાલી, મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વધુ વાંચો: આજે સોમવાર: અપનાવો આ 7 મહા ઉપાય, ભગવાન ભોળાનાથ કરશે પૈસાનો અઢળક વરસાદ
કોઈ પ્રકારની ઘરમાં નકારાત્મક ઉર્જા, રોગ, મુશ્કેલી નથી આવતી. વિધિ પૂર્વક સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવાથી ખૂબ જલ્દી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્ત વખતે આ પાઠ કરવો ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ