બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Ajit Jadeja
Last Updated: 10:15 PM, 15 March 2024
સાપને વિશ્વનું સૌથી ઝેરી જનાવર માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય તો માત્ર એન્ટિવેનોમ જ તેને બચાવી શકે છે. જો કે આ માટે ક્યારેક સાપની ઓળખ કરવી પણ જરૂરી બની જાય છે. આજે અમે તમને જણાવીશું કે વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલ યુનિવર્સલ એન્ટીવેનોમ કયા સાપના ઝેર સામે અસરકારક છે.
દુનિયામાં કિંગ કોબ્રા જેવા અનેક ઝેરી સાપ જોવા મળે છે. તેમનું ઝેર એટલું ખતરનાક હોય છે કે આ સાપ કરડવાથી વ્યક્તિનું તરત જ મોત થઈ શકે છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ યુનિવર્સલ એન્ટીવેનોમ તમામ સાપના ઝેર માટે મારણ સાબિત થશે. આ એન્ટિવેનોમ તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ લેબોરેટરીનો ઉપયોગ કર્યો છે.
લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર કિંગ કોબ્રા, વાઈપર, બ્લેક મામ્બા જેવા સાપ માટે એન્ટિવેનોમ ઉપલબ્ધ છે. પરંતુ હજુ પણ દુનિયામાં ઘણા એવા સાપ છે જેના માટે એન્ટિવેનોમ નથી બની શક્યું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ યુનિવર્સલ એન્ટિવેનોમ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ એન્ટિવેનોમ ઘણા પ્રકારના સાપના ઝેરમાં જોવા મળતા ન્યુરોટોક્સિનને બેઅસર કરે છે. તેનાથી વ્યક્તિનો જીવ બચી શકે છે.
સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકે તેને લેબોરેટરીમાં તૈયાર કર્યું છે. એન્ટિવેનોમમાં એન્ટિ-ટોક્સિન એન્ટિબોડીઝ હોય છે, જે ઘોડાઓમાં થોડી માત્રામાં સાપના ઝેરના ઇન્જેક્ટ આપીને એન્ટિબોડીઝ એકત્રિત કરીને બનાવવામાં આવે છે. સદીઓથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ હવે જે એન્ટિવેનમ તૈયાર કર્યું છે તેને લેબોરેટરીમાં બનાવવામાં આવ્યું છે. આ પ્રકારની દવાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે માનવ રોગપ્રતિકારક શક્તિને એવી રીતે તૈયાર કરે છે કે તે કોઈપણ પ્રકારના ઝેર સામે લડવામાં સક્ષમ બને છે. જો કે તેની ગંભીર આડઅસર થવાની સંભાવના ઘણી ઓછી છે. પ્રયોગશાળામાં ઉત્પાદિત આ એન્ટિબોડીને 95Mat5 નામ આપવામાં આવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ