બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / rishabh pant and shreyas ayyar can play on behalf of virat kohli and kl rahul
Khevna
Last Updated: 10:08 AM, 4 October 2022
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો આજે સાંજે 7:00 વાગ્યાથી ઇન્દોરમાં રમવામાં આવશે. ત્રણ મેચોની ટી20માં ભારત પહેલા જ 2-0થી આગળ છે. આવામાં ટીમ ઈન્ડિયા ત્રીજી ટી20 મેચમા પણ સાઉથ આફ્રિકાને માત આપીને 3-0થી સીરિઝ જીતવા માંગશે. સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ જીત્યા બાદ આખરે ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી ટી20 મેચ માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આવામાં ટીમ ઈન્ડિયામાં બે ખતરનાક ખેલાડીઓની એન્ટ્રી થવા જઈ રહી છે.
ઓપનિંગ જોડી
સાઉથ આફ્રિકા સામે ટી20 મેચમા કેપ્ટન રોહિત શર્મા સામે ઓપનિંગ માટે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઉતરી શકે છે. રાહુલને આરામ આપ્યા બાદ રિષભ પંતને ઓપનિંગનો અવસર મળી શકે છે. ટીમ ઈન્ડિયામાં અન્ય કોઈ રિઝર્વ બેટ્સમેન નથી, આવામાં શાહબાદ અહમદ અથવા બે બોલર્સ મોહમ્મદ સિરાજ કે ઉમેશ યાદવને પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે.
નંબર 3
સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચમા વિરાટ કોહલીની જગ્યાએ પ્લેઇંગ 11મા વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને એન્ટ્રી મળી શકે છે. શ્રેયસ નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. શ્રેયસ અય્યરે પોતાની છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ 7 ઓગસ્ટ 2022નાં રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવીને 40 બોલ પર 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના દમ પર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને ઘણી મેચમાં જીત અપાવી છે. શ્રેયસ અય્યરની બેટિંગનો કોઈ મુકાબલો નથી. આ જ કારણ છે કે બેટિંગમા શ્રેયસ અય્યરનું યોગદાન ભારતીય ટીમ માટે અત્યંત જરૂરી છે.
સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચ માટેની સંભવિત પ્લેઇંગ 11
રિષભ પંત, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક,. અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ