બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Ravi
Last Updated: 09:02 PM, 23 October 2019
ADVERTISEMENT
જે પ્રાઇવેટ એજન્ટ રાખવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે
આ નિર્ણય હેઠળ હવે બેન્કો રિટેલ લોન આપવા માટે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ્સ (ડીએસએ) રાખી શકશે નહીં. આનો અર્થ સ્પષ્ટ છે કે આરબીઆઇએ બેન્કોને લોન આપવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પ્રાઇવેટ એજન્ટ રાખવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ADVERTISEMENT
આરબીઆઇના આ પગલાને કેટલીક બેન્કોએ આવકાર્યું છે
એક રિપોર્ટ અનુસાર આરબીઆઇનું માનવું છે કે આ પ્રાઇવેટ એજન્ટો એક મર્યાદિત દાયરામાં રહીને કામ કરે. આરબીઆઇનું માનવું છે કે KYC હેઠળ લોન લેનાર કોઇ પણ વ્યક્તિના અસલી ડોક્યુમેન્ટ ચેક કરાવવાનું કામ બેન્ક કર્મચારીઓએ સ્વયં જ કરવું જોઇએ. આરબીઆઇના આ પગલાને કેટલીક બેન્કોએ આવકાર્યું છે તો કેટલાક બેન્કર્સ દ્વારા આ પગલાને બેન્કિંગ વિરોધી હોવાનું જણાવાયું છે.
કેટલીક બેન્કોનું માનવું છે કે આ પગલાથી કામના બોજ તળે દબાયેલી બેન્કો પર વધુ જવાબદારી આવશે અને તેના કારણે લોન આપવાની પ્રક્રિયામાં વિલંબ થશે. આમ પણ લોન લેવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે અને આરબીઆઈના આ નિર્ણયથી બેન્કોને લોન પ્રોસેસ કરાવવામાં વધુ સમય લાગશે.
આ પગલા પાછળનો હેતુ બેન્કિંગ સેક્ટરમાં ડેટા ચોરી જેવી ઘટના ઓછી કરવાનો છે
જ્યારે આરબીઆઇનું કહેવું છે કે આ પગલા પાછળનો હેતુ બેન્કિંગ સેક્ટરમાં ડેટા ચોરી જેવી ઘટના ઓછી કરવા અને બેન્કોના ઓપરેશનલ ખર્ચને ઘટાડવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને કન્ઝ્યુમર ક્રેડિટ જેવી બેન્કોની રિટેલ કામગીરી ડીએસએ દ્વારા થાય છે. બેન્કોનું કહેવું છે કે આ કાર્ય દાયકાઓથી ચાલે છે કે જેઓ બેન્કોની રિટેલ લોન બુકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT