બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જે પ્રાઇવેટ એજન્ટ રાખવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે
આ નિર્ણય હેઠળ હવે બેન્કો રિટેલ લોન આપવા માટે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ્સ (ડીએસએ) રાખી શકશે નહીં. આનો અર્થ સ્પષ્ટ છે કે આરબીઆઇએ બેન્કોને લોન આપવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પ્રાઇવેટ એજન્ટ રાખવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ADVERTISEMENT
આરબીઆઇના આ પગલાને કેટલીક બેન્કોએ આવકાર્યું છે
એક રિપોર્ટ અનુસાર આરબીઆઇનું માનવું છે કે આ પ્રાઇવેટ એજન્ટો એક મર્યાદિત દાયરામાં રહીને કામ કરે. આરબીઆઇનું માનવું છે કે KYC હેઠળ લોન લેનાર કોઇ પણ વ્યક્તિના અસલી ડોક્યુમેન્ટ ચેક કરાવવાનું કામ બેન્ક કર્મચારીઓએ સ્વયં જ કરવું જોઇએ. આરબીઆઇના આ પગલાને કેટલીક બેન્કોએ આવકાર્યું છે તો કેટલાક બેન્કર્સ દ્વારા આ પગલાને બેન્કિંગ વિરોધી હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
કેટલીક બેન્કોનું માનવું છે કે આ પગલાથી કામના બોજ તળે દબાયેલી બેન્કો પર વધુ જવાબદારી આવશે અને તેના કારણે લોન આપવાની પ્રક્રિયામાં વિલંબ થશે. આમ પણ લોન લેવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે અને આરબીઆઈના આ નિર્ણયથી બેન્કોને લોન પ્રોસેસ કરાવવામાં વધુ સમય લાગશે.
આ પગલા પાછળનો હેતુ બેન્કિંગ સેક્ટરમાં ડેટા ચોરી જેવી ઘટના ઓછી કરવાનો છે
જ્યારે આરબીઆઇનું કહેવું છે કે આ પગલા પાછળનો હેતુ બેન્કિંગ સેક્ટરમાં ડેટા ચોરી જેવી ઘટના ઓછી કરવા અને બેન્કોના ઓપરેશનલ ખર્ચને ઘટાડવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને કન્ઝ્યુમર ક્રેડિટ જેવી બેન્કોની રિટેલ કામગીરી ડીએસએ દ્વારા થાય છે. બેન્કોનું કહેવું છે કે આ કાર્ય દાયકાઓથી ચાલે છે કે જેઓ બેન્કોની રિટેલ લોન બુકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.