બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ભારત / Piyush Jain was arrested for having 197 crores blackmoney but Dhiraj Sahu is not yet arrested, know the rules
Vaidehi
Last Updated: 06:49 PM, 14 December 2023
ઈનકમ ટેક્સ વિભાગે સાંસદ ધીરજ પ્રસાદ સાહૂનાં સ્થાન પરથી આશરે સાડા ત્રણ સો કરોડથી વધારેની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ કાનપુરમાં અત્તરનાં બિઝનેસમેન પીયૂષ જૈનનો મામલો પણ ફરી ચર્ચામાં આવી ગયો છે. ડિસેમ્બર 2021માં GST DGGIએ પીયૂષ જૈનનાં સ્થાન પર છાપેમારી કરી હતી. ત્યારે DGGIએ જૈન પાસેથી 197 કરોડ રૂપિયા કેશ અને 23 કિલો સોનું જપ્ત કર્યું હતું.
પીયૂષ જૈનને મળી જામીન
આ મામલામાં તપાસ એજન્સીએ બિઝનેસમેનને 497 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ ફટકારી હતી. આ સિવાય આટલી મોટી કેશની રકમ મળવા પર પીયૂષ જૈનની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં તેઓ જામીન પર છે. 11 મહિના બાદ તેમને હાઈકોર્ટમાંથી જામીન મળી હતી. ધીરજ સાહૂનાં મામલામાં અધિકારીઓ કહી રહ્યાં છે કે કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલ આ સૌથી મોટું કાળું નાણું છે. પણ આટલી મોટી ધનરાશિ જપ્ત કર્યા બાદ પણ ધીરજ સાહૂની ધરપકડ શા માટે નથી કરવામાં આવી?
ઈનકમ ટેક્સ એક્ટ-1961
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહૂને ત્યાં જે છાપેમારી કરવામાં આવી તે ઈનકમ ટેક્સ વિભાગે કરી છે અને ઈનકમ ટેક્સ એક્ટ-1961 અનુસાર આયકર વિભાગ પાસે ધરપકડ કરવાનાં અધિકાર નથી હોતાં. આ એક્ટ અંતર્ગત છાપેમારી અને અન્ય કોઈ કાર્યવાહીમાં ધરપકડ કરવાનું કોઈ પ્રાવધાન નથી આપવામાં આવ્યું. વધુમાં વધુ તપાસ સમાપ્ત થયાં બાદ અસેસમેંટ અને પ્રોસિક્યૂશન કરી શકાય છે અને કોર્ટ દ્વારા સજા આપી શકાય છે.
પીયૂષ જૈનની ધરપકડ GST વિભાગ દ્વારા થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે પીયૂષ જૈન પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તે કેન્દ્રીય જીએસટી વિભાગની ઈંટેલિજેંસ યૂનિટ દ્વારા થઈ હતી. CGST સેક્શન 69 અંતર્ગત ધરપકડ કરવાનું પ્રાવધાન છે જે જીએસટી વિભાગને તાત્કાલિક ધરપકડ કરવાનો પાવર આપે છે. આ જ નિયમ હેઠળ પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને 11 મહિના બાદ હાઈકોર્ટે તેમને જામીન આપી હતી.
ધીરજ સાહૂની ધરપકડ ક્યારે થઈ શકે છે?
ધીરજ સાહૂની ધરપકડ ત્યારે જ સંભવ છે જ્યારે એનફોર્સમેંટ ડાયરેક્ટરેટ કે CBI જેવી એજન્સી તેમાં કેસ નોંધી અને તપાસ શરૂ કરે. જો એજન્સીને લાગે છે કે આ મામલામાં મની લોન્ડેરિંગ થયું છે અથવા તો કોઈ ક્રિમિનલ એક્ટિવિટી થઈ છે તો ED અથવા CBI આ મામલામાં કેસ નોંધી અને ધીરજ સાહૂની ધરપકડ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ