કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સામે નિશાન સાઘ્યું છે. ધાનાણીએ કહ્યું કે, માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરો
પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર
પરશોત્તમ રૂપાલા પર સાધ્યું નિશાન
"માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરો"
કોરોના મહામારીની બીજી લહેરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સામે નિશાન સાઘ્યું છે. ધાનાણીએ કહ્યું કે, માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરો. તો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, લોખંડ ઓગળી જાય પણ ભાજપનો અંહકાર ન પીગળે. આ ઉપરાંત કહ્યું કે, સેવા ના કરી શકે તેવી સરકારને સત્તામાં બેસવાનો અધિકાર નથી.
આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ કોરોના વોરિયર્સની માફી માંગી હતી. કોરોના મહામારીની બીજી લહેરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને માફી માગી હતી. જે મામલે પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
અંબરિશ ડેર અને સી.આર પાટીલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
રાજુલામાં રેલ્વેની જમીન મામલે કોંગ્રેસ અને ભાજપે સામસામે પ્રહારો કર્યા છે. અમરેલીમાં સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકોએ રાજુલામાં રેલવેની જમીન બગીચા માટે પડાવી લેવા પ્રયાસ કર્યો. જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ વળતો જવાબ આપ્યો છે. ડેરે પ્રતિક્રિયા આપતા કહ્યું, સી.આર.પાટીલે નારણ કાછડીયાની પીઠ થાપડીએ દુઃખદની બાબત છે. સાંસદને જશ જોઇતો હોય તો લઇ લે પરંતુ...રાજુલા સાથે અન્યાય ન કરે.
ગુજરાતમાં રેલવેની 2 હજાર હેકટર જમીન સરપ્લસ છે. રાજુલા નગરપાલિકાએ પત્ર લખી જમીન બ્યુટીફિકેશન માટે માંગી હતી. ભાવનગર DRM સાથે MOU પણ થયા હતાં. નારણ કાછડિયાએ જમીન રાજુલા નગરપાલિકાને મળતી અટકાવી છે. ભાજપને મારી સાથે વાંધો હોઇ શકે પણ રાજુલાના નગરજનો સાથે કેમ વાંધો છે. ભાજપની જશ ખટવાની રાજનીતિ નૈતિક અપરાધ છે. મારે જમીન મારા માટે ક્યાં જોઈતી હતી ? સાંસદને ઠપકો આપવાને બદલે પાટીલ તેમની પીઠ થાપડે છે. અન્યાય કરીને આશીર્વાદ માટે નીકળેલા લોકોએ શરમાવવું જોઇએ. સાંસદને જશ જોઇતો હોય તો એમના હસ્તે લોકાર્પણ કરાવીશું.
જાણો શું છે જમીનનો મામલો
આપને જણાવી દઈએ કે, રાજુલામાં રહેલી રેલવેની જમીનને રાજુલા નગરપાલિકાએ બ્યુટીફીકેશન માટે ઉપયોગમાં માગી હતી આથી રેલવે દ્વારા રાજુલા નગરપાલિકાના સત્તાધીશોને એગ્રીમેન્ટ કરવા બોલાવ્યા હતા અને ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા આ જમીન પર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલવેના ફેન્સિંગના કામના કારણે લોકોને અવરજવરમાં પરેશાની થશે તેવા દાવા સાથે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે વિરોધ નોંધાવ્યો હતો. અને જમીનની માગ સાથે અમરીશ ડેરે 16 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.