શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં હિંસા પ્રદર્શન કરનારને કાબૂમાં લાવવા માટે પ્લાસ્ટીક બુલેટનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય સુરક્ષાબળોને આ સ્પેશિયલ પ્લાસ્ટીક બુલેટ આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે લોકસભામાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે હિંસા પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પેલેટ ગનના વિકલ્પમાં પ્લાસ્ટીક બુલેટનો ઉપયોગ કરાશે. કાશ્મીરની ઘાટીઅમાં 2016માં થયેલી હિંસામાં સુરક્ષાદળો દ્વારા ઉપયોગમાં લેવાયેલી પેલેટ ગનનો વિરોધ કરાયો હતો.
વિરોધ બાદ સરકારે આનો વિકલ્પ લાવવાની ખાતરી આપી હતી. પૈલેટ ગનના ઉપયોગથી લોકોના જીવ જતા હોવાથી તેનો વિરોધ કરાતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કાશ્મીરમાં થતી હિંસામાં પ્લાસ્ટીક બુલેટ વાપરવામાં આવશે પરંતુ આપાતકાલિન સ્થિતિમાં સેનાના જવાનો પેલેટ ગનનો ઉપયોગ કરશે.