બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Kavan
Last Updated: 04:11 PM, 10 December 2019
ADVERTISEMENT
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મધ્યરાત્રિ બાદ એક નિવેદન જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું કે, અમે આ બિલની નિંદા કરીએ છીએ. તે ભેદભાવવાળું છે અને તમામ સંબંધ આંતરરાષ્ટ્રીય સંધિઓ અને માનદંડોનું ઉલ્લંઘન કરે છે.
પાકિસ્તાને આ બિલનો કર્યો અસ્વીકાર
ADVERTISEMENT
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ એ ક્ષેત્રમાં કટ્ટરવાદી 'હિન્દુત્વની વિચારધારા અને પ્રબળ વર્ગની આકાંક્ષાઓ' નું સંયોજન છે અને ધર્મના આધારે પડોશી દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાનો ઇરાદો સ્પષ્ટ છે. પાકિસ્તાને તેનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે. તેમાં ઉમેર્યું હતું કે, "ભારતનો દાવો પણ ખોટો છે કે તે પોતાને લઘુમતીઓનું ઘર ગણાવ્યું છે જેઓ પડોશી દેશોમાં કથિત રીતે સતાવણીનો સામનો કરી રહ્યા છે."
હિંદુ રાષ્ટ્ર' ના ખ્યાલને સાકાર કરવા તરફનું એક મોટું પગલું છે ખરડો
નિવેદનમાં વધુ કહેવામાં આવ્યું છે કે, "લોકસભામાં લાવવામાં આવેલ આ બિલ પાકિસ્તાન અને ભારત વચ્ચે બંને દેશોના લઘુમતીઓના રક્ષણ અને હક અંગેના કરાર સહિતના વિવિધ દ્વિપક્ષીય કરાર સાથે સંપૂર્ણપણે વિરોધાભાસી છે".
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બિલ 'હિંદુ રાષ્ટ્ર' ના ખ્યાલને સાકાર કરવા તરફનું એક મોટું પગલું છે, જે ઘણા દાયકાઓથી દક્ષિણપંથી હિન્દુ નેતાઓ દ્વારા પોષણ કરવામાં આવે છે.
ઇમરાન ખાને કર્યું ટ્વીટ
We strongly condemn Indian Lok Sabha citizenship legislation which violates all norms of int human rights law & bilateral agreements with Pak. It is part of the RSS "Hindu Rashtra" design of expansionism propagated by the fascist Modi Govt. https://t.co/XkRdBiSp3G
— Imran Khan (@ImranKhanPTI) December 10, 2019
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે ટ્વીટ કર્યું હતું કે, 'અમે ભારતીય લોકસભા દ્વારા નાગરિકત્વ બિલ પાસ થયાની નિંદા કરીએ છીએ. આ બિલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓ અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન છે. આ RSSની 'હિન્દુ રાષ્ટ્ર' ની કલ્પનાનો એક ભાગ છે અને ફાશીવાદી મોદી સરકારના પ્રપંચને ઉજાગર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT