બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips sudden gain in weight is sign of thyroid, eat these iodine rich food
Vidhata
Last Updated: 08:56 AM, 11 April 2024
થાઇરોઇડ આજકાલ એક સામાન્ય સમસ્યા બની રહ્યું છે, જેનું કારણ આજની જીવનશૈલી અને ખરાબ ખાનપાન છે. થાઇરોઇડ સંબંધિત બીમારીઓ મોટાભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. થાઇરોઇડ એ આપણી ગરદનના નીચેના ભાગમાં એક ગ્રંથિ છે, જે શરીરમાં થાઇરોઇડ નામના હોર્મોનને નિયંત્રિત કરે છે. તેના વધવા કે ઘટવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે હોર્મોનલ ચેન્જ, વજન વધવું, ભૂખ ન લાગવી, વધુ પડતી ઊંઘ આવવા જેવા લક્ષણો જોવા મળે છે. થાઇરોઇડને નિયંત્રિત કરવા માટે આયોડીન જરૂરી છે. આયોડીનની ઉણપને કારણે થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે.
આયોડિન થાઇરોઇડ ગ્રંથિને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેની ઉણપને કારણે થાઇરોઇડ રોગ થવાનો ખતરો રહે છે. તેથી, તે મહત્ત્વનું છે કે તમે દરરોજ તમારા આહારમાં આયોડીનનો સમાવેશ કરો. આયોડીન એક મિનરલ છે, જે ઘણા ખોરાકમાં મળી આવે છે. થાઇરોઇડ ગ્રંથિ તમે જે ખોરાક લો છો તેમાંથી આયોડીનને શોષી લે છે અને તેનો ઉપયોગ હોર્મોન્સ ઉત્પન્ન કરવા માટે કરે છે. થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન જાળવી રાખવા માટે દરરોજ લગભગ 150 માઇક્રોગ્રામ આયોડીન જરૂરી હોય છે. એમ તો મીઠું આયોડીનનો સારો સ્ત્રોત છે, પણ શરીરને જરૂરી આયોડીન માટે તમે તમારા આહારમાં આ આયોડીનયુક્ત ખોરાકનો સમાવેશ કરીને તેની ઉણપને પૂરી કરી શકો છો -
સી-વીડ - નોરી અને કેલ્પ જેવી દરિયાઈ શાકભાજીને આયોડીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્પમાં મોટા પ્રમાણમાં પેન્ટોથેનિક એસિડ અને રિબોફ્લેવિન હોય છે. તમે તેને તમારા રોજિંદા આહારમાં સૂપ અને સલાડના રૂપમાં સામેલ કરી શકો છો. તેનું સેવન કરવાથી થાઇરોઇડ ગ્રંથિ સારી રીતે કામ કરશે અને તમને તેનાથી સંબંધિત કોઈ બીમારી પણ નહીં થાય. આ જ કારણ છે કે તેના સેવનથી થાઇરોઇડમાં થતી ચિંતા અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ મળે છે.
માછલી - કૉડ, ટુના અને સૅલ્મોન જેવી માછલીઓને આયોડીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ માછલીઓનાં સેવનથી માત્ર ઓમેગા-3 ફેટી એસિડ જ નહીં પરંતુ આયોડીન પણ મળે છે. તેને ગ્રીલ કરીને અથવા બેક કરીને ખાઈ શકાય છે.
ડેરી ઉત્પાદનો - ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓમાંથી આયોડીન મળી આવે છે. પનીર સહિત અન્ય ડેરી ઉત્પાદનો માત્ર કેલ્શિયમ અને તંદુરસ્ત ચરબી જ આપતા નથી પણ તેમાં આયોડીન પણ હોય છે. ચેડર અને મોઝેરેલા ચીઝ આયોડીન માટે શ્રેષ્ઠ વિકલ્પો છે, તેમને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો. દરેક 250 મિલી દૂધમાં લગભગ 150 માઇક્રોગ્રામ આયોડીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવો.
વધુ વાંચો: ડાયાબિટિસને કંટ્રોલ કરશે આ ત્રણ છોડના પાંદડા, આયુર્વેદમાં કહેવામાં આવે છે સુગર ડિસ્ટ્રોયર
ઇંડા - ઇંડામાં આયોડીન સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય ઇંડામાં સેલેનિયમ અને ઝિંક પણ મળી આવે છે, જે થાઈરોઈડને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તમે ઇંડાને બાફીને અથવા આમલેટ બનાવીને ખાઈ શકો છો. એક ઇંડું લગભગ 24 માઇક્રોગ્રામ આયોડિન અથવા દૈનિક જરૂરિયાતના 16% પૂરું પાડે છે. આ સિવાય ઇંડા પ્રોટીનનો પણ શ્રેષ્ઠ સ્ત્રોત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ