બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / gang Raped Accused Bjp Leader Arrested By Prayagraj Police
Noor
Last Updated: 01:40 PM, 4 October 2020
ADVERTISEMENT
પોલીસે શ્યામ પ્રકાશ દ્વિવેદીની ધરપકડ કરવા માટે અનેક સ્થળોએ ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે પ્રયાગરાજના જોર્જટાઉન વિસ્તારમાંથી ગેંગરેપના આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી હતી. બેલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીના પિતાના અવસાન પછી આરોપી ડોક્ટર અનિલ દ્વિવેદી દ્વારા આર્થિક મદદના નામે તેની શ્યામ પ્રકાશ દ્વિવેદી સાથે મુલાકાત કરાવી હતી. આ પછી ભાજપના આરોપી નેતાએ થોડી આર્થિક મદદ કરી હતી. પછી પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ વર્ષ 2019થી 2020 સુધી શારીરિક શોષણનો આરોપ લગાવતા ગેંગરેપની ધારાઓ હેઠળ કેસ કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસ મુજબ જમીનના સંબંધમાં પીડિતાનો આરોપીઓ સંપર્ક થયો હતો. વાતચીત વધતાં બંનેએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીડિતા પર જાતીય શોષણ કર્યું હતું. પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જોકે, આરોપી શ્યામ પ્રકાશ નાસી છૂટ્યો હતો. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપી ભાજપ નેતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
આરોપી શ્યામ પ્રકાશ દ્વિવેદી 2014થી 2016 સુધી ભારતીય જનતા યુવા મોરચાના પ્રાદેશિક ઉપપ્રમુખ રહી ચૂક્યો છે. બીજેપી નેતાના પિતા રામરક્ષા દ્વિવેદી પ્રયાગરાજના ભાજપ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આરોપી હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને ભાજપ સંગઠનને લગતા સ્થાનિક કાર્યક્રમોમાં સક્રિય રહેતો હતો. જોકે, પરિવારે શ્યામ પ્રકાશ દ્વિવેદી પર લાગેલા બળાત્કારના આરોપને નકારી દીધો હતો. પરિવારજનોનું કહેવું છે કે, નૈનીએ એગ્રીકલ્ચર ઈન્સ્ટીટ્યૂટમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ઉઠાવવા અને સંસ્થાના સંચાલક પર એફઆઈઆર કરવાને કારણે શ્યામ પ્રકાશને ફસાવવામાં આવી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT