બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / Cyclone Jawad: IMD issues red alert for West Bengal, andhra pradesh and odisha today
ParthB
Last Updated: 10:40 AM, 4 December 2021
ADVERTISEMENT
ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે જવાદ
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત જવાદ શનિવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ત્રાટકી શકે છે. આવી સ્થિતિમાં, નુકસાનના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે, નેવી, NDRF અને SDRFની ટીમોને બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવી છે. IMDએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોર સુધીમાં જવાદ ચક્રવાતમાં તીવ્ર બન્યો હતો. ચક્રવાતને કારણે, શનિવારે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.
વાવાઝોડાના પગલે અત્યાર સુધીમાં 54,028 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા
આંધ્રપ્રદેશમાં ચક્રવાત જવાદને જોતા ત્રણ જિલ્લામાં NDRFની 11 ટીમો, SDRFની 5 ટીમો, કોસ્ટ ગાર્ડની 6 ટીમો અને મરીન પોલીસની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી 54,008 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
CS ‘JAWAD’ over westcentral Bay of Bengal moved slightly northwards with a speed of 04 kmph during past 06 hours and lay centered at 0530 hrs IST of today, about 230 km southeast of Vishakhapatnam, 410 km south-southwest of Puri and 490 km south-southwest of Paradip (Odisha). pic.twitter.com/Pa93dSikcF
— India Meteorological Department (@Indiametdept) December 4, 2021
અગામી 12 કલાકમાં જવાદ નબળો પડે તેવી સંભાવના - હવામાન વિભાગ
હવામાન વિભાગે શનિવારે એવી પણ માહિતી આપી છે કે આગામી 12 કલાકમાં ચક્રવાત જવાદ નબળો પડવાની સંભાવના છે. આ દરમિયાન તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ઓડિશાના કિનારા તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની સાંજ સુધીમાં પુરીની નજીક જશે. તે પછી તે નબળી પડી શકે છે અને ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાત જવાદ હાલ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં હાજર છે. તે વિશાખાપટ્ટનમથી 230 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણે, પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે.
Cancellation of trains due to cyclone 'Jawad' pic.twitter.com/xXAcLnMGL3
— South Eastern Railway (@serailwaykol) December 2, 2021
જવાદ ચક્રવાતને કારણે લગભગ 150 ટ્રેનો રદ કરવામાં આવી
જવાદ ચક્રવાતને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે જવાદ ચક્રવાતને કારણે લગભગ 150 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ચક્રવાત ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને અસર કરી રહ્યું છે.
All Govt, aided, and private schools affiliated with School and Mass Education Department in 19 districts of Odisha to remain closed today (December 4) in view of cyclone 'Jawad', the department says pic.twitter.com/eicxkqGAD1
— ANI (@ANI) December 3, 2021
જવાદ ચક્રવાતને કારણે આજે ઓડિશામાં તમામ શાળાઓ બંઘ કરાઈ
ચક્રવાત જવાદના ખતરાને જોતા ઓડિશામાં આજે શાળાઓ બંધ છે. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.ઓડિશામાં ચક્રવાત જાવાદની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે, તેથી ગોપાલપુર, પુરી, પારાદીપ, ધમારા પોર્ટ હાઈ એલર્ટ પર છે. ચક્રવાતની અસરને કારણે દરિયામાં જબરદસ્ત જોરદાર મોજા ઉછળશે. તેઓ બંદરને પણ નુકસાન પહોંચાડી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT