ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને શક્તિસિંહનું નિવેદન
દિલ્લીમાં ગુજરાતી પરિવારની યુવતી સાથે દુષ્કર્મનો મામલો
પોલીસ પીડિતાનો અવાજ દબાવી રહી હોવાનો શક્તિસિંહનો આક્ષેપ
દિલ્લીમાં ગુજરાતી પરિવારની યુવતી સાથે દુષ્કર્મનો મામલે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આક્રમક વલણ દેખાડ્યું છે. શક્તિસિંહે કહ્યું કે, એક વિધવા માતાની દિકરી પર વારંવાર દુષ્કર્મ થયું છે. અને દિકરી ફરિયાદ નોંધાવવા માટે પહોંચે ત્યારે SHO દિકરીને ધમકાવે છે. અને આરોપીની સાથે રૂમમાં રાખવાની વાત કરી રહ્યો હતો. દિલ્હીની પોલીસ એક ગુજરાતી અને હાલ દેશના ગૃહપ્રધાનના હાથમાં છે. આમ છતાં દિલ્હીની પોલીસ દ્વારા પીડિતાના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. અને પીડિતાના ભાઈને મારી નાખવાની ધમકી મળતી હોવાની પણ વાત કરી છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે ઘટનામાં તપાસની કરી માગ કરી છે. શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રી અમિત શાહ, દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ પાસે માગ કરી છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને શક્તિસિંહનું નિવેદન કરતા કહ્યું કે, AAPએ ભાજપની જ B ટીમ છે. તો ચૂંટણી પહેલા પક્ષપલટો કરતા કોંગ્રેસી નેતાઓને શક્તિસિંહે સલાહ આપી કે, કોંગ્રેસ છોડી ભાજપમાં જનારને જનતા ઓળખી પાડે છે. 2017માં કોંગ્રેસના 16 ધારાસભ્યો ભાજપમાં ગયા હતા. જીત માત્ર બે જ ધારાસભ્યની જઇ હતી. પક્ષપલટો કરનારને જનતા સ્વિકારતી ન હોવાની વાત શક્તિસિંહે કરી છે.
કોંગ્રેસ જેવી એક પાર્ટીની સરકાર બનવી જોઈએ
શક્તિસિંહે એમ પણ કહ્યું કે, ખરા અર્થમાં દેશમાં લોકશાહી સંપૂર્ણપણે ખતરામાં છે. ગુજરાતમાં માત્ર લાગણીને છંછેડીને મતનું રાજકારણ થઈ રહ્યું છે. જેથી હવે ગુજરાતમાં કોંગ્રેસ જેવી એક પાર્ટીની સરકાર આવવી જોઈએ. જેથી ગરીબ અને અમીર વચ્ચેનું અંતર ઘટશે. માત્રને માત્ર કોંગ્રેસની સાથે ગુજરાતની જનતા રહેશે તેનો મને વિશ્વાસ છે.
ખેડૂતની સ્થિતિ અંગે શક્તિસિંહે કહ્યું કે, અત્યારે ખેડૂત કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. શરૂઆતના વરસાદ પછી ખાતર, બિયારણ અને નિંદામણ કર્યા પછી વરસાદ ખેંચાયો છે. સરકાર પણ હાથ ઊંચા કરી લીધા છે. કૃત્રિમ વરસાદ કરાવવો જોઈએ. ડાયરેક્ટ મની ટ્રાન્સફર કરવા જોઈએ. લોનના વ્યાજ માફ કરવા જોઈએ. પશુ માટે ચારો પણ મળવો જોઈએ.