બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Canal collapsed officials statement farmers responsible
Hiren
Last Updated: 11:28 PM, 30 January 2020
ADVERTISEMENT
રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠામાં એક જ દિવસમાં બે કેનાલોમાં ગાબડાં પડવાની ઘટના સામે આવી છે. એક તો સનેસડા ગામે જાનાવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. માઇનોર કેનાલમાં 40 ફૂટનું ગાબડું પડ્યું છે. તો બીજી તરફ વાવના ઢેરિયા ગામની કેનાલમાં ફરી એક વખત ગાબડું પડ્યું છે. રાણેછા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલોમાં ગાબડા પડતા કેનાલોની કામગીરીને લઇ તંત્ર સામે સવાલ ઉભા થયા છે. તો કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરતા ખેડૂતો રોષે ભરાયા છે. વારંવાર કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે.
ADVERTISEMENT
મુખ્ય ઇજનેરે ગાબડા માટે ખેડૂતોને ગણાવ્યા જવાબદાર
કેનાલમાં ગાબડા પડવા મામલે મુખ્ય ઇજનેરે ઉડાઉ જવાબ આપ્યો હતો. ધારાસભ્ય ગેનીબેનની રજૂઆત બાદ નર્મદા વિભાગના મુખ્ય ઇજનેર કે.આર.પરીખે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, પાણી ખેચવા માટે લગાવેલા પંપો એકસાથે બંધ થાય છે. એકસાથે પંપ બંધ થતા કેનાલ ઓવરફ્લો થાય છે. બનાસકાંઠામાં માત્ર 44 ગાબડા જ પડ્યા છે. ભંગાણથી ફક્ત 15 ખેડૂતોને નુકસાન થયું છે.
રાત્રે ખેડૂતો એક સાથે પાણી ખેચવાનું બંધ કરે છેઃ ડે.એન્જિનિયર
બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવા મામલે હવે અધિકારીઓએ દોષનો ટોપલો ખેડૂતો પર ઢોળ્યો છે. આ મુદ્દે ડે.એન્જિનિયર એચ.બી.રાણાએ કહ્યું કે, રાત્રે ખેડૂતો એક સાથે પાણી ખેચવાનું બંધ કરે છે. જેના કારણે પાણીનું લેવલ વધતા કેનાલો ઓવરફ્લો થાય છે. આ ઉપરાંત લીલના કારણે પણ કેનાલમાં પાણીનું લેવલ વધતું હોવાનો અધિકારીએ દાવો કર્યો છે.
ભાજપના જ મળતિયાને કોન્ટ્રાક્ટ અપાય છેઃ કોંગ્રેસ
તો સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાયા છે. ભાજપના મળતિયા હોવાથી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં નથી મુકવામાં આવતા.
વારંવાર કેનાલોમાં પડતા ગાબડાંને લઇને ખેડૂત સતત મુશ્કેલીનો સામનો કરે છે. ત્યારે આ મુદ્દાને લઇને મહામંથન કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT