બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / 2 Terrorists Killed In Encounter In Jammu and Kashmir Shopian
vtvAdmin
Last Updated: 03:47 PM, 27 July 2019
સૂત્રોને મળેલી જાણકારી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની સેનાને ખબર મળી હતી. સેનાએ ખબર મળતાં આ વિસ્તારને ધેરી લીધો હતો. આતંકીઓ એક ઘરમાં છૂપાયાં હતા.
ADVERTISEMENT
આતંકીઓએ સેના દ્વારા કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને લઇને સેના પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ આતંકીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે શોપિયામાં અથડામણ જોવા મળી.
ADVERTISEMENT
ભારતીય સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ હજી પણ ચાલી રહ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ દરમિયાન સેનાને એક મોટી સફળતા મળી છે. સેનાએ આ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યાં છે.
માછિલ સેક્ટરમાં ફાયરિંગ, એક ભારતીય જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરના કૂપવાડા સેકટરમાં આજે સરહદ પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાં છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાને કરેલા આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હજુ પણ ફાયરિંગ સતત ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 17 જૂલાઇના રોજ જમ્મૂ-કાશ્મીરના સોપાર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા ઘાટીમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે જમ્મૂ-કાશ્મીરમાં વધારે અર્ધસૈનિક દળોને તૈનાત કરવા આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે વધુ 100 કંપનીઓ તૈનાત કરવા આદેશ કર્યો છે. જેમાં સીઆરપીએફની 50 અને એસએસબીની 30 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT