બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / 2 Terrorists Killed In Encounter In Jammu and Kashmir Shopian

જમ્મૂ-કાશ્મીર / શોપિયામાં સેનાએ બે આતંકી ઠાર માર્યા, માછિલ સેકટરમાં એક જવાન શહીદ

vtvAdmin

Last Updated: 03:47 PM, 27 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કાશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન યથાવત્ જોવા મળી રહ્યું છે. આજે શોપિયામાં સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યાં છે. જો કે હજી સુધી માર્યાં ગયેલા આતંકીઓની ઓળખ થઇ નથી.

સૂત્રોને મળેલી જાણકારી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની સેનાને ખબર મળી હતી. સેનાએ ખબર મળતાં આ વિસ્તારને ધેરી લીધો હતો. આતંકીઓ એક ઘરમાં છૂપાયાં હતા.
 


આતંકીઓએ સેના દ્વારા કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને લઇને સેના પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ આતંકીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે શોપિયામાં અથડામણ જોવા મળી.

 


ભારતીય સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ હજી પણ ચાલી રહ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ દરમિયાન સેનાને એક મોટી સફળતા મળી છે. સેનાએ આ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યાં છે. 

 


માછિલ સેક્ટરમાં ફાયરિંગ, એક ભારતીય જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરના કૂપવાડા સેકટરમાં આજે સરહદ પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાં છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાને કરેલા આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હજુ પણ ફાયરિંગ સતત ચાલી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે 17 જૂલાઇના રોજ જમ્મૂ-કાશ્મીરના સોપાર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા ઘાટીમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે જમ્મૂ-કાશ્મીરમાં વધારે અર્ધસૈનિક દળોને તૈનાત કરવા આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે વધુ 100 કંપનીઓ તૈનાત કરવા આદેશ કર્યો છે. જેમાં સીઆરપીએફની 50 અને એસએસબીની 30 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ