બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / ભાવનગર / Villagers on the ground to stop the overflow water of Shetrunji dam from going into the sea
Vishal Khamar
Last Updated: 03:05 PM, 6 March 2024
ભાવનગરના શેત્રુંજી ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુંજી નદીના પટમાં સરતાનપર નજીક ડેમ બાંધવાની માગ ઉઠી છે. આ ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારના 20થી વધુ ગામોમાં વધતા ક્ષારનું પ્રમાણ અટકી શકે છે. અને ખેતીને પણ ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે, આ અંગે વિધાનસભામાં અનેક વખત રજૂઆત થઈ છે. પરંતુ કોઈ કામગીરી ન થતા શેત્રુંજી ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં પહી જાય છે. ત્યારે બંધ બનાવીને આ પાણીને રોકવામાં આવે તેવી માગ ઉઠી છે.
અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામ થતું નથીઃ કનુ બારૈયા (પૂર્વ ધારાસભ્ય, તળાજા)
ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે સૌથી મોટો શેત્રુંજી ડેમ આવેલો છે. આ ડેમ સીઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થતો હોય છે. આ ડેમનું પાણી અન્ય એક ડેમ ભરાઇ તેટલું દરિયામાં વહી જતું હોઈ છે. ત્યારે આ પાણીને રોકવા માંગ થઇ રહી છે. આમ તો આ મામલે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરાઈ છે. લિંક ચેકડેમ બનાવવાની વાતો થાય છે પણ કોઈ નક્કર કામ થતા નથી. શેત્રુંજી ડેમનું ઓવરફ્લોનું પાણી શેત્રુંજી નદીમાંથી થઇને સરતાનપરના દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકવા માટે સરતાનપર નજીક જો બંધ કે ડેમ મબનાવવામાં આવે તો આ પાણી અટકી શકે તેમ છે. આ વિસ્તરણ પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે કે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામ થતું નથી.
વધુ વાંચોઃ કિંજલ દવે હજુ આ તારીખ સુધી નહીં ગાઇ શકે 'ચાર-ચાર બંગડી' વાળું ગીત, હાઇકોર્ટે પુન: સ્ટે લંબાવ્યો
શેત્રુંજી નદીના પટમાં સરતાનપર નજીક ડેમ બાંધવાની માગ ઉઠી
ભાવનગર જિલ્લાનો આ શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું પાણી તેમજ અન્ય તાલુકાઓને સિંચાઈનું પાણી પૂરું પડે છે. શેત્રુંજી ડેમમાં 350 એમ સી એફ સી થી વધુ પાણીનો જથ્થો સંગ્રહ થાય છે અને ઓવરફ્લો દરમ્યાન આટલું પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને અટકાવવામાં આવે તો આસપાસના ગામોમાં જે હાલ ક્ષારનું પ્રમાણ વધ્યું અને ખેતી નષ્ટ થઇ રહી છે. તે જીવિત થઇ શકે તેમ જો કે આ મામલે ક્ષાર વિભાગના અધિકારીનું કહેવું છે કે આ પાણીને રોકવા 3 ચેકડેમ બનાવવાની પ્રોપઝલ સરકારમાં મોકલવામાં આવી છે. ભાવનગર જિલ્લમાં અનેક ગામો એવા છે કે જેને કેનાલ લાભ મળતો નથી. ત્યારે સરકાર શેત્રુંજી ડેમનું પાણી ચેકડેમ કે ડેમ દ્વારા રોકીને સંગ્રહ કરે તો આસપાસના લોકોને ફાયદો થઇ શકે તેમ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા