બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Vaccination for 15 year old children as soon as possible after getting guidance from experts - Mandviya
Mehul
Last Updated: 11:33 PM, 12 February 2022
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ જલ્દીમાં જલ્દી 15 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરશે. માંડવિયાને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પુછાયું કે, 15 વર્ષ સુધીના બાળકોને વેકસીન અંગે સરકારનું શું વલણ છે. તેમણે કહ્યું કે, તજગ્નોની ટીમે હજુ આ ઉમર માટેના બાળકોના રસીકરણ અંગે હજુ સુધી કોઈ ભલામણ કરી નથી.
કેન્દ્રિય મંત્રી એક ફેબ્રુઆરીએ રજુ થયેલા કેન્દ્રિય બજેટ પર ભારતીય જનતા પાર્ટી આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા ગાંધીનગર આવ્યા હતા. મનસુખ માંડવિયાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, ' ક્યારે અને કઈ ઉમરના લોકોને રસી આપવાની છે, તેનો નિર્ણય વૈજ્ઞાનિકોની ટીમની ભલામણ ના આધારે લેવાય છે.અમે એક અઠવાડિયાની અંદર જ વધુ જરૂરીયાત વાળા વર્ગ માટે તેઓની ભલામણને લાગુ કરી હતી. અમે 5 થી 15 વર્ષની વયના જૂથ માટે પણ તેઓની ભલામણ આવતા જ ચોક્કસ પણે લાગુ કરી દઈશું.
દેશમાં 15 થી 18 ની વયના જૂથ માટે કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન ગત મહીને શરુ કરાયું હતું. માંડવિયાએ કહ્યુંકે, આજે રસીકરણ કોઈ મુદ્દો જ નથી.અમારી પાસે પુરતો જથ્થો છેઅને અમે વૈજ્ઞાનિક ટીમની ભલામણને અવશ્ય લાગૂ કરીશું. તેમણે કહ્યું કે, સરકારને હજુ સુધી આવી કોઈ ભલામણ મળી નથી અને આ સંદર્ભે નિર્ણય આવનારા દિવસોમાં લેવાશે અને આ કોઈ રાજકીય નિર્ણય પણ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ