BCCIએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેણીમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપી છે. શ્રેણીમાં હાર્દિકને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સીરીઝ પહેલા મેચમાં કેપ્ટન રોહિત શર્મા નહીં રમી શકે.
BCCIએ વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની કરી જાહેરાત
ઓસ્ટ્રેલિયા સામે રમાશે ત્રણ વન-ડે મેચ
હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો
વર્લ્ડ કપ પ્લાનમાં નથી સેમસન?
એવામાં પહેલી વનડે મેચમાં રોહિતની જગ્યાએ હાર્દિક જ ટીમની કેપ્ટનશિપ સંભાળતા દેખાશે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝમાંથી સંજુ સેમસનને બહાર કાઢવાનો અર્થ સમજાઈ રહ્યો છે કે બીસીસીઆઈએ તેમને આ વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે પોતાના પ્લાનમાં રાખ્યા નથી. સંજૂએ ગયા વર્ષે એટલેકે 2022માં કુલ 10 વનડે રમી, જેમાં 71ની સરેરાશથી 284 રન બનાવ્યાં છે. સંજૂની સ્ટ્રાઈક રેટ પણ 100ની નજીક રહી છે.
બીસીસીઆઈએ સંજૂની જગ્યાએ કેએલ રાહુલને ટીમમાં પસંદ કર્યો છે, જે અત્યારે ખૂબ જ નબળા ફૉર્મમાંથી પસાર થઇ રહ્યાં છે. સંજૂ આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ ટીમનુ સુકાન સંભાળી રહ્યાં છે. મહત્વનું છે કે વનડે વર્લ્ડ કપ આ વર્ષના અંતમાં ભારતની મેજબાનીમાં થવાનો છે.
ઉનડકટને 10 વર્ષ બાદ મળી તક
ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને 2013 બાદ પહેલી વખત વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જેનો અર્થ એવો સમજી શકાય છે કે બીસીસીઆઈ અત્યારે પણ ટીમ માટે એક સારા ડાબોડી બોલરની તલાશમાં જોડાયેલી છે. આ બોલર વનડે વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જો કે, ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટી20માં સૌથી વધુ તક મળી છે. તેમણે માત્ર ત્રણ વન-ડે મેચ રમી છે, જેમાંથી તેમને કોઈ વિકેટ ના મળી. એવામાં લાગે છે કે બીસીસીઆઈના પ્લાનમાં અર્શદીપ નથી. વર્લ્ડ કપ પણ હવે નજીક જ છે, એવામાં બીસીસીઆઈ હવે પોતાના અનુભવી બોલરને અજમાવવા ઈચ્છી રહી છે.