બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Priyakant
Last Updated: 09:23 AM, 16 February 2023
અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ જિલ્લાનાં નાનાં નાનાં ગામડાંમાં છેલ્લા એક દાયકાથી ડિગ્રી વગરના મુન્નાભાઇ એમબીબીએસ પેદા થયા છે, જે પોતાનાં દવાખાનાં ખોલીને બેઠા છે. આ તરફ હવે તંત્ર દ્વારા અમદાવાદના ઓઢવમાં બુધવારે બે ડૉક્ટરના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ માટે દવાખાના ચલાવતા ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ ઓઢવના ભગવતીનગર ખાતે આવેલા બાલાજી ક્લિનિકમાં એલોપેથી સારવાર ડો.એ.કે.શર્માની પાસે HMBSની ડિગ્રી હોવાનું ખૂલ્યું છે. જોકે નિયમો મુજબ એલોપેથી પ્રેક્ટિસ કરી શકે નહીં, જોકે તપાસ દરમ્યાન તેમના ક્લિનિકમાંથી ઇન્જેક્શન સહિતની એલોપેથી પ્રેક્ટિસની વસ્તુઓ મળી આવતા તેમનું ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે.
આ સાથે ઓઢવના ભવાનીનગરના ટેકરા ખાતે આવેલા આર્ય ક્લિનિક ખાતે ડો.ચંદ્રપાલ આર્ય DMPની ડિગ્રી ધરાવતા હોવાનું ખૂલ્યું હતું. જોકે તેઓ પણ નિયમ મુજબ એલોપેથી પ્રેક્ટિસ કરી શકે નહી. તેમ છતાં તપાસ દરમિયાન તેમની પાસેથી ઇન્જેક્શન, મલ્ટી વિટામિન સહિતની અનેક એલોપેથી દવાઓ મળી આવી હતી.
અમદાવાદમાં બિલાડીની ટોપની જેમ ઊગી નીકળેલા આવા બોગસ ડોકટરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગઇકાલે એટલે કે બુધવારે તંત્ર દ્વારા ઓઢવમાં એકસાથે 2 બોગસ ડોકટરોને ઝડપી પાડી દવાખાના સીલ કરી દીધા હતા. જોકે તંત્રની આ કાર્યવાહીને કારણે ઓઢવ પંથક સહિત સમગ્ર અમદાવાદના બોગસ ડૉક્ટરોમાં ચકચાર મચી ગઈ છે.
નારોલમાં પણ કરાઇ મોટી કાર્યવાહી
અમદાવાદના નારોલમાં મ્યુનિ.ની દક્ષિણ ઝોનની ટીમે ચેકિંગ દરમિયાન બોગસ ડૉક્ટર ઝડપી પાડ્યો છે. દક્ષિણ ઝોનની ટીમને જાણવા મળ્યું કે, નારોલ અલીફનગરમાં એક દુકાન પર દવાખાનાના બોર્ડ વિના દર્દીઓને તપાસ ચાલી રહી હતી. જેને લઈ મેડિકલ ટીમે ત્યાં હાજર નિશારખાન મંગતીખાન ઘાંચી (ઉ.40) પાસે મેડિકલ ડિગ્રી માંગતા તેમની પાસે કોઈ અધિકૃત ડિગ્રી ન હોવાનું પકડાયું હતું. જે બાદ મેડિકલ ઓફિસરે નારોલ પોલીસ સ્ટેશનમાં નિશારખાન ઘાંચી સામે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ