બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Priyakant
Last Updated: 10:27 AM, 8 July 2023
ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ગયા વર્ષના આર્થિક સંકટથી બધા વાકેફ છે. હજુ સુધી દેશ આ સંકટમાંથી બહાર આવ્યો નથી. અહીંના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આ દરમિયાન હવે શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અબેવર્દેનેએ શુક્રવારે આર્થિક મદદ માટે ભારતનો આભાર માન્યો હતો. તેમણે ભારતને શ્રીલંકાના નજીકના સાથી અને વિશ્વાસપાત્ર મિત્ર ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભારતે એવા સમયે શ્રીલંકાની મદદ કરી જ્યારે તે અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછતને કારણે શ્રીલંકા વર્ષ 2022માં વિનાશક નાણાકીય કટોકટીની પકડમાં હતો, જે 1948માં બ્રિટનથી સ્વતંત્રતા પછીની સૌથી ખરાબ સ્થિતિ હતી. તેની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિને અનુરૂપ ભારતે જ્યારે દેશ સંઘર્ષ કરી રહ્યો હતો અને કટોકટીનો સામનો કરી રહ્યો હતો ત્યારે મલ્ટીપલ ક્રેડિટ લાઇન્સ અને ચલણ સપોર્ટ દ્વારા ગયા વર્ષે શ્રીલંકાને લગભગ US$ 4 બિલિયનની બહુ-પરિમાણીય સહાયનો વિસ્તાર કર્યો હતો.
રાજધાની કોલંબોમાં ઈન્ડિયન ટ્રાવેલ કોંગ્રેસના ડેલિગેટ્સ માટેના ગાલા ડિનરમાં તેમના સંબોધન દરમિયાન મહિન્દા યાપા અબેવર્દનેએ કહ્યું, ' ભારતએ નાણાકીય કટોકટી દરમિયાન અમને બચાવ્યા નહિ તો ત્યાં વધુ એક નરસંહાર થયો હોત. સાંજના રિસેપ્શનમાં શ્રીલંકાની સંસદના સ્પીકરે તેમના રોકડ સંકટગ્રસ્ત દેશને આપવામાં આવેલી મદદ માટે ભારતનો આભાર માન્યો અને બંને દેશો અને તેમની સંસ્કૃતિઓ વચ્ચેના સભ્યતાના સંબંધો અને સમાનતાને યાદ કરી.
ભારત ખૂબ જ નજીકના સાથી અને વિશ્વાસપાત્ર મિત્ર
મહિન્દા યાપા અબેવર્દને વધુમાં કહ્યું કે, શ્રીલંકા અને ભારત સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને રાજકીય રીતે ખૂબ જ નજીકથી જોડાયેલા દેશો છે અને સૌથી ઉપર ભારત શ્રીલંકાના ખૂબ નજીકના સાથી અને વિશ્વસનીય મિત્ર છે. ભારતે હંમેશા મુશ્કેલીમાં મદદ કરી છે. તેમણે કહ્યું 'આ વખતે પણ, આજે, મેં સાંભળ્યું છે કે ભારત આપણા દેવાના પુનર્ગઠનને 12 વર્ષ સુધી લંબાવવા માટે તૈયાર છે. ક્યારેય અપેક્ષા નહોતી કરી અને ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશે આવી સહાય આપી નથી.
ભારત દ્વારા આપવામાં આવેલી મદદને યાદ કરી શું કહ્યું ?
તેમણે ગયા વર્ષે કટોકટી દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલી મદદને યાદ કરી. અબેવર્દનેએ કહ્યું, 'મારે તમને કહેવું જોઈએ કે ગયા વર્ષે અમારા પર જે મુશ્કેલી આવી હતી, તે દરમિયાન તમે (ભારત) અમને બચાવ્યા હતા. નહિંતર તે આપણા બધા માટે બીજો નરસંહાર થયો હોત. તેથી આ રીતે ભારત અમારી મદદે આવ્યું. તેમણે શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, શ્રીલંકાના પ્રવાસન અને જમીન મંત્રી હરિન ફર્નાન્ડો અને શ્રીલંકાની સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ટિપ્પણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા