બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / 'Special' plan of festival-loving Ahmedabadites for Dhuleti, buy Gunjia, Malpoo, Chidhai Dhoom
Vishal Khamar
Last Updated: 10:01 PM, 6 March 2023
હોળી-ધુળેટીના પર્વની અમદાવાદ સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. ઉલ્લાસ અને રંગોના પર્વ હોળી-ધુળેટી માટે ધાણી-ખજૂર, હારડા, પૂજા સામગ્રી, ઠંડાઈની ધૂમ ખરીદી થઇ રહી છે. બજારમાં અવનવા રંગો પણ વેચાઈ રહ્યા છે. સંધ્યાકાળે હોળી પ્રગટાવીને શહેરીજનો પરિવારજનો માટે સુખ-શાંતિની પ્રાર્થના કરે છે અને રાતના સમયે ભોજન સાથે મીઠાઈ આરોગે છે અને બીજા દિવસે સવારે ધુળેટીની ધૂમ મચે છે તથા એકબીજાને શુભકામનાઓ પાઠવે છે.
હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગના તહેવાર હોળીનું ખૂબ મહત્ત્વ
હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગના તહેવાર હોળીનું ખૂબ મહત્ત્વ છે. પંચાંગ મુજબ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી ઊજવવામાં આવે છે. હોલિકા દહનના મુહુર્તની વાત કરીએ તો આજે સાંજે ૬.૫૪થી ૮.૫૧ સુધી હોલિકા દહન કરવામાં આવશે. આ રીતે હોલિકા દહન માટે માત્ર બે કલાક જેટલો જ સમય મળશે. આવતીકાલે એક દિવસ પડતર રહેશે અને મોટાભાગના સ્થળોએ ૮ માર્ચ, બુધવારે ધુળેટી ઊજવાશે, કેમ કે એ દિવસે જ જાહેર રજા છે.
હોલિકાદહનના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસે છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. હોળાષ્ટકનો સમય ર૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધીનો હોવા છતાં પણ મંગળવારે અને બુધવારે શુભ યોગ ન હોવાથી તમામ પ્રકારના શુભકાર્યો ગુરુવારથી જ થઈ શકશે.
અમદાવાદીઓએ હોળી-ધુળેટીના ‘સ્પેશિયલ’ પ્લાન બનાવી રાખ્યા છે
રંગોત્સવની તડામાર તૈયારીઓ કરીને ઉત્સવપ્રેમી અમદાવાદીઓએ હોળી-ધુળેટીના ‘સ્પેશિયલ’ પ્લાન બનાવી રાખ્યા છે. શહેર તેમજ રાજ્યભરમાં ફાગણ મહિનામાં આવતો આ હોળીનો તહેવાર ઉત્સાહભેર ઊજવાય છે અને તે દિવસે ધાણી-દાળિયા, ખજૂર પરંપરાગત રીતે ખવાય છે. બજારમાં રૂ. ૧ર૦થી રૂ. ૭૦૦ના ભાવે કિલો સુધીનું ખજૂર જોવા મળી રહ્યું છે ત્યારે ધાણીના કિલોદીઠ ભાવ રૂ. ૧૦૦ છે. દાળિયા એક કિલો રૂ. ૧ર૦ના ભાવે વેચાઈ રહ્યા છે. ઠંડાઈનાં અલગ અલગ ફ્લેવરનાં રેડી-ટુ- ડ્રિન્ક પેકેટ વેચાઈ રહ્યાં છે. મીઠાઈની દુકાનમાં ગુંજિયા, માલપૂઆ સહિતની અવનવી હોળી સ્પેશિયલ મીઠાઈ જોવા મળી રહી છે.
ક્યાંક વતનની પરંપરા તો ક્યાંક અમદાવાદી બની હોળીની ઉજવણી
પંદરથી વધુ રાજ્યના લોકો અહીં વસવાટ કરે છે. ક્યાંક વતનની પરંપરા તો ક્યાંક અમદાવાદી બની તેઓ હોળીની ઉજવણી કરે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ વિમાનમાં આ દિવસે નગરની પરિક્રમા કરી હતી. તેથી એકાદશીથી પૂનમ સુધી ઓડિશાના અહીં વસતા લોકો યાત્રા કાઢે છે. પૂનમના દિવસે હોલિકાદહન બાદ ભગવાનની પૂજા કરી તેઓ પ્રસાદી તરીકે ખીર-પૂરી લે છે. ફૂલ દોલોત્સવમાં ભગવાનને ફૂલથી શૃંગાર કરાય છે. આ પર્વ રાધા-કૃષ્ણના પ્રેમના પ્રતીક તરીકે ઊજવાય છે. વસંત પંચમીએ હોળીના પર્વનો પ્રારંભ થાય છે. અહીં વસતા રાજસ્થાનના લોકો હોળીની ઠંડી રાખ ઘરે લઈ જઈ ઇસર અને ગણગોર બનાવી ગણગોર પૂજાનો પ્રારંભ કરે છે, જ્યારે મહારાષ્ટ્રીયન લોકો ફાગણ વદ પાંચમ સુધી હોળી ઊજવે છે. હોળીના દિવસે ગણેશજીની સ્થાપના કર્યા બાદ સંધ્યાકાળે હોળી પ્રગટાવાય છે. ભોજનમાં સવારથી જ વેડમી ખાસ બનાવાય છે. પાંચ દિવસ સુધી રંગપંચમીએ હોળી ઠંડી પાડી ફાગોત્સવનું સમાપન કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ