બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Smriti Irani reacts sharply to Congress leaders shocking statement
Kishor
Last Updated: 12:12 AM, 20 December 2022
અમેઠીના પ્રદેશ કોંગ્રેસ નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને હવે વિવાદ વકર્યો છે. બીજી બાજુ અજય રાયના નિવેદન પર ખુદ સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ થકી જવાબ આપ્યો કે 'મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધી તમે તમારા નેતા પાસેથી 2024માં અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરાવી છે. જેથી હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો? શું તમે બીજી સીટ પર તો નહીં દોડો ને? કોંગ્રેસ નેતા અજય રાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમેઠી ગાંધી પરિવારની બેઠક હતી છે અને રહેશે. તેમણે આ વિસ્તારને વિકાસનો પંથ આપ્યો છે.અમેઠીના લોકો માટે ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ કર્યો છે.
રાહુલ ગાંધી 2024માં અમેઠીથી ચૂંટણી લડી ફરી સીટ મેળવે તેવી કાર્યકરોની માંગ
વધુમાં સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અજય રાયે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ દેખાડો કરવા અમેઠી આવે છે. વધુમાં કોઈ કામ ન કરતા હોવાનો પણ દાવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ પોતાના નામે કર્યો હતો. રાહુલ ગાંધી અમેઠીમાં જ હાર્યા હતા.અજય રાયે વધુમાં કહ્યું કે હવે અમેઠીમાં તમામ કારખાનાઓ બંધ થવાના આરે છે.જેથી કોંગ્રેસના કાર્યકરો અને લોકોની માંગ છે કે રાહુલ ગાંધીએ 2024માં અમેઠીથી ચૂંટણી લડી ફરી આ સીટ મળવવી જોઈએ.વધુમાં પૂર્વ ધારાસભ્ય અજય રાયે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમે વારાણસીથી વડાપ્રધાન મોદીને હરાવવા માટે પણ કામ કરીશું. આ અમારો પડકાર છે, તેમ અંતમાં જણાવ્યું હતું.
સ્મૃતિ ઈરાની લટકાં- મટકાં કરીને ચાલી જાય છે
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. પાર્ટીના નેતા અજય રાયે સોમવારે રાજ્યના સોનભદ્ર જિલ્લામાં કહ્યું કે અમેઠીમાં તમામ ફેક્ટરીઓ બંધ છે, પરંતુ સ્મૃતિ ઈરાની લટકાં- મટકાં કરવા અમેઠી આવીને જતી રહી છે. તેમણે કહ્યું કે 2024માં રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટણી લડી શકે છે.2024માં બનારસમાં ભાજપને હરાવીને રહીશું2019ની લોકસભાની ચૂંટણીમાં વારાણસીમાંથી પીએમ મોદીની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસ નેતા અજય રાયે કહ્યું કે અમે 2024માં બનારસમાં ભાજપને હરાવીને રહીશું. તેમ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ