બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Show proof, we are ready to investigate', Jaishankar's sharp reply to Canada's foreign minister on Niger dispute

ભારત-કેનેડા વિવાદ / 'પુરાવા દેખાડો, અમે તપાસ માટે તૈયાર', નિજ્જર વિવાદ પર કેનેડાના વિદેશ મંત્રીને જયશંકરનો ધારદાર જવાબ

Last Updated: 08:07 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણી બદલ ટ્રુડો સરકારે કેનેડામાંથી ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યાના લગભગ બે મહિના પછી વિદેશ મંત્રી એસ જયશંકરે કહી આ વાત..

  • વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસની મુલાકાતે લંડન પહોંચ્યા
  • નિજ્જરની હત્યામાં ભારતીય સરકારની સંડોવણી અંગે પુરાવા માંગ્યા 
  • કહ્યું કે 'ભારત કોઈપણ તપાસનો ઈન્કાર કરી રહ્યું નથી.' 

વિદેશ મંત્રી એસ જયશંકર તેમની પાંચ દિવસની મુલાકાતે લંડન પહોંચ્યા હતા, જ્યાં તેમણે બુધવારે કેનેડાની નિંદા કરી હતી અને કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સરકારના એજન્ટની સંડોવણી અંગે પુરાવા આપવા કહ્યું હતું. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે 'ભારત કોઈપણ તપાસનો ઈન્કાર કરી રહ્યું નથી.' 

બે મહિના બાદ ફરી બોલ્યા જયશંકર
જયશંકરનું આ નિવેદન ખાલિસ્તાની ઉગ્રવાદી અને ટાઈગર ફોર્સ ચીફ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણી બદલ ટ્રુડો સરકારે કેનેડામાંથી ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યાના લગભગ બે મહિના પછી આવ્યું છે.

'ભારત કોઈપણ તપાસનો ઈન્કાર કરી રહ્યું નથી.'
એક પ્રશ્નના જવાબમાં, એસ જયશંકરે કહ્યું હતું કે "જો તમારી પાસે આવા આરોપ મૂકવાનું કોઈ કારણ હોય તો કૃપા કરીને પુરાવા શેર કરો કારણ કે અમે તપાસ કરવાનો ઇનકાર કરી રહ્યા નથી...."તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાએ તેના આરોપને સાચા સાબિત કરવા માટે ભારત સાથે કોઈ પુરાવા શેર કર્યા નથી.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની "સંભવિત" સંડોવણી અંગે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ચોક્કસ જવાબદારી સાથે આવે
ભારતે ટ્રુડોના આરોપોને 'વાહિયાત' અને 'પાયાવિહોણા' ગણાવીને ફગાવી દીધા હતા. કેનેડામાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ચોક્કસ જવાબદારી સાથે આવે છે અને તે સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરવો અને રાજકીય હેતુઓ માટે તે દુરુપયોગને સહન કરવું ખૂબ જ ખોટું છે.

કેનેડા અત્યારે ભારત સાથે "લડાઈ" નથી ઈચ્છતા
તેમણે કેનેડામાં ભારતીય હાઈ કમિશન પરના હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતીય રાજદ્વારીઓને જાહેરમાં ડરાવવામાં આવ્યા હતા છતાં કેનેડિયન સત્તાવાળાઓએ ગુનેગારો સામે કોઈ પગલાં લીધાં નથી. ગયા અઠવાડિયે વડા પ્રધાન ટ્રુડોએ રેખાંકિત કર્યું હતું કે કેનેડા અત્યારે ભારત સાથે "લડાઈ" નથી ઈચ્છતા, પરંતુ પોતાના આરોપોને પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે ઓટ્ટાવા આ "ખૂબ જ ગંભીર બાબત" પર નવી દિલ્હી સાથે "રચનાત્મક રીતે કામ કરવા" માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hardeep Singh Nijjar India Canada News S Jaishankar S Jaishankar news એસ જયશંકર જસ્ટિન ટ્રુડો ભારત અને કેનેડા ભારત કેનેડા વિવાદ વિદેશમંત્રી એસ જયશંકર હરદીપ સિંહ નિજ્જર હત્યા India Canada News
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ