બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / 'Save me, I don't want to die' were Satish Kaushik's last words before dying, manager reveals about final moments
Megha
Last Updated: 11:31 AM, 12 March 2023
અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં એક તરફ દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં સતીશની છેલ્લી ક્ષણોમાં એમની સાથે રહેલ એમના મેનેજર સંતોષ રાયે ઘણી વાતોના ખુલાસા કર્યા છે.
સતીશ કૌશિકના મેનેજરે કર્યા ઘણા ચોંકાવનારા ખુલાસા
સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરી લેવામાં આવ્યું છે જેમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ પણ પોલીસ તેના બ્લડ સેમ્પલના રિપોર્ટની રાહ જોઈ રહી છે કે કદાચ તેમાંથી કંઈક બહાર આવે. છેલ્લી ક્ષણે તેની સાથે રહેલા અભિનેતાના મેનેજર સંતોષ રાયના કહેવા પ્રમાણે રાત્રે ડિનર પછી સતીશને ન તો કોઈ પરેશાની આવી કે ન તો તેને કોઈ એસિડિટીની ફરિયાદ કરી. નોંધનીય છે કે 8 માર્ચે સવારે 2.30 વાગ્યે અભિનેતાનું અવસાન થયું હતું. પણ તે રાત્રે અને તેની અંતિમ ક્ષણોમાં શું થયું તે વાતનો ખુલાસો તેના મેનેજર સંતોષ રાયે કર્યો છે.
સતીશે કહ્યું તેઓ મરવા નથી માંગતા
રાત્રે 8:30 વાગે સતીશે ડિનર લીધું હતું. અમે 9મી માર્ચે સવારે 8:50 વાગ્યે મુંબઈ જવાના હતા. એટલે એમને મને વહેલા સુઈ જવા માટે કહ્યું. આ પછી તેણે મને 11 વાગે ફોન કરીને wifiનો પાસવર્ડ સેટકરવા કહ્યું કારણ કે તેને કાગજ 2 ફિલ્મ પર કમ કરવું હતું. સતીશજીએ મને ફરી 12:05વાગ્યે જોરથી મારું નામ લીધું. હું દોડીને ગયો અને તેને પૂછ્યું કે સર શું થયું? મને ફોન કેમ ન કર્યો ત્યારે એમને કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મને ડૉક્ટર પાસે લઈ જાઓ. આ પછી અમે કારમાં બેસી ગયા.
મને લાગે છે કે હું બચીશ નહીં
અમે કારમાં બેસીને થોડે આગળ ગયા, ત્યારે જ તેને છાતીમાં સખત દુખાવો થવા લાગ્યો. પછી એમને મારા ખભા પર માથું મૂકીને કહ્યું, 'સંતોષ હું મરવા નથી માંગતો, મને બચાવી લે' અમે આઠ મિનિટમાં હોસ્પિટલ પંહોચી ગયા અને અમે ગેટની અંદર પંહોચ્યાં ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા પણ તે પહેલા એમને મને પકડીને કહ્યું – મારે વંશિકા માટે જીવવું છે. મને લાગે છે કે હું બચીશ નહીં. શશી અને વંશિકાનું ધ્યાન રાખજે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ