બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ram-mandir-pran-pratishtha-first-look-of-lord-ram-murti-revealed

અયોધ્યા મંદિર / તમે પણ કરો રામ લલ્લાના પ્રથમ દર્શન, પાલખીમાં મંદિર ભ્રમણે નીકળ્યાં ! જાણો કેમ કરાઈ વિગ્રહવિધી

Published By: Hiralal

Last Updated: 06:43 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી તસવીર સામે આવી છે. વિધિના ભાગરુપે પ્રતિકાત્મક પ્રતિમાને પાલખીમાં મંદિરની ચારે તરફ ફેરવાઈ હતી.

  • રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી તસવીર 
  • રામ લલ્લાને પાલખીમાં મંદિરની ચારે બાજુ ભ્રમણ કરાવાયું 
  • મૂર્તિનું પ્રતિકાત્મક ભ્રમણ કરાવાયું, અસલી અભિષેક 22મી જાન્યુઆરીએ 

રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી તસવીર સામે આવી છે. રામલલાને પાલખીમાં મંદિર પરિસરની યાત્રા કરાવવામાં આવી રહી છે. જો કે, આ વાસ્તવિક મૂર્તિ નથી જે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તે એક પ્રતિકાત્મક પ્રતિમા છે પરંતુ વિધિના ભાગરુપે આવું કરાયું હતું. અસલી પ્રતિમા 22મી જાન્યુઆરીએ મંદિરમા સ્થાપિત કરવામાં આવશે. 

18 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લવાશે અસલી પ્રતિમા 
ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની અસલી મુર્તિને 18 જાન્યુઆરીએ મંદિરમાં લાવવામાં આવી શકે છે. ભગવાન રામની બાળસ્વરુપ મૂર્તિને કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે. 

ભગવાન રામનો વિગ્રહ શરુ થયો
22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામનો વિગ્રહ શરુ થયો છે. સત્તાવાર પૂજા પ્રક્રિયા મુજબ ભગવાન રામ લાલની મૂર્તિને આજે એટલે કે 17 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લઈ જવામાં આવી છે. મંદિર પરિસરનો પ્રવાસ કરાવ્યા બાદ બાલ સ્વરૂપને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

23 જાન્યુઆરથી બધા માટે મંદિરના દ્વાર ખુલ્લા  
22મીએ બપોરના 12.20 થી 1ની વચ્ચે ગર્ભગૃહમાં મુખ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિ પણ નક્કી થઈ ગઈ છે. કર્ણાટકના મૈસુરના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે. ચંપત રાયે કહ્યું કે 23 જાન્યુઆરીથી બધા માટે મંદિર ખુલ્લું રહેશે અને જે કોઈ પણ દર્શન કરવા ઈચ્છુક હશે તેઓ દર્શન કરી શકશે.  

15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત ન કરી ત્યારે બની રામલલાની મૂર્તિ 
ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવી-દેવતાઓની મુર્તિ બનાવી રહ્યો છે તેમણે કેદારનાથમાં લાગેલી શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. રામલલાની મૂર્તિનું વજન 200 કિલો જેટલું છે અને તે 5 વર્ષના બાળક જેવી હશે. તેમણે કહ્યું કે મૂર્તિ ઘડતી વખતે અરુણ યોગી 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી એટલા બધા એકાગ્ર થઈને મૂર્તિ બનાવી હતી. મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને કાળા રંગની છે. 

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની બધી જાણકારી 
ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીના બપોરના 12.20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરુ થશે અનવે 1 વાગ્યે પૂરો થઈ જશે. ત્યાર બાદ પીએમ મોદી અને મોહન ભાગવત પોતાના વિચારો રજૂ કરશે. આખો કાર્યક્રમ લગભગ 65 થી 75 મિનિટનો રહેશે અને 121 આચાર્યો આખો કાર્યક્રમ પૂરો કરાવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Ram Mandir Pran Pratishtha ayodhya ram mandir inauguration અયોધ્યા રામ મંદિર ઉદ્ધાટન Ram Mandir Pran Pratishtha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ