બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
Hiralal
Last Updated: 06:43 PM, 17 January 2024
રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી તસવીર સામે આવી છે. રામલલાને પાલખીમાં મંદિર પરિસરની યાત્રા કરાવવામાં આવી રહી છે. જો કે, આ વાસ્તવિક મૂર્તિ નથી જે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તે એક પ્રતિકાત્મક પ્રતિમા છે પરંતુ વિધિના ભાગરુપે આવું કરાયું હતું. અસલી પ્રતિમા 22મી જાન્યુઆરીએ મંદિરમા સ્થાપિત કરવામાં આવશે.
ADVERTISEMENT
18 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લવાશે અસલી પ્રતિમા
ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની અસલી મુર્તિને 18 જાન્યુઆરીએ મંદિરમાં લાવવામાં આવી શકે છે. ભગવાન રામની બાળસ્વરુપ મૂર્તિને કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે.
ભગવાન રામનો વિગ્રહ શરુ થયો
22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામનો વિગ્રહ શરુ થયો છે. સત્તાવાર પૂજા પ્રક્રિયા મુજબ ભગવાન રામ લાલની મૂર્તિને આજે એટલે કે 17 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લઈ જવામાં આવી છે. મંદિર પરિસરનો પ્રવાસ કરાવ્યા બાદ બાલ સ્વરૂપને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
23 જાન્યુઆરથી બધા માટે મંદિરના દ્વાર ખુલ્લા
22મીએ બપોરના 12.20 થી 1ની વચ્ચે ગર્ભગૃહમાં મુખ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિ પણ નક્કી થઈ ગઈ છે. કર્ણાટકના મૈસુરના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે. ચંપત રાયે કહ્યું કે 23 જાન્યુઆરીથી બધા માટે મંદિર ખુલ્લું રહેશે અને જે કોઈ પણ દર્શન કરવા ઈચ્છુક હશે તેઓ દર્શન કરી શકશે.
15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત ન કરી ત્યારે બની રામલલાની મૂર્તિ
ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવી-દેવતાઓની મુર્તિ બનાવી રહ્યો છે તેમણે કેદારનાથમાં લાગેલી શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. રામલલાની મૂર્તિનું વજન 200 કિલો જેટલું છે અને તે 5 વર્ષના બાળક જેવી હશે. તેમણે કહ્યું કે મૂર્તિ ઘડતી વખતે અરુણ યોગી 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી એટલા બધા એકાગ્ર થઈને મૂર્તિ બનાવી હતી. મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને કાળા રંગની છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની બધી જાણકારી
ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીના બપોરના 12.20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરુ થશે અનવે 1 વાગ્યે પૂરો થઈ જશે. ત્યાર બાદ પીએમ મોદી અને મોહન ભાગવત પોતાના વિચારો રજૂ કરશે. આખો કાર્યક્રમ લગભગ 65 થી 75 મિનિટનો રહેશે અને 121 આચાર્યો આખો કાર્યક્રમ પૂરો કરાવશે.
ADVERTISEMENT
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ