બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Leaders of Sanatan Dharma in Gadhda have filed a complaint against three saints of Swaminarayan
Malay
Last Updated: 07:05 PM, 13 September 2022
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતા વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેના વિરોધમાં ગઢડા શહેર ખાતે આજે મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકોએ ભેગા થઈને રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત સનાતન ધર્મના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી આ સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રેલી કાઢી નોંધાવ્યો વિરોધ
બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે આજરોજ કમલમ હોલ ખાતે સનાતન ધર્મના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે, તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરના રાજ માર્ગો પર રેલી કાઢી સનાતન ધર્મની જય, હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ
જે બાદ મોટી સંખ્યામાં લોકો શહેરના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં ગઢડા શહેરના સ્થાનિક વાલેરાભાઈ રાઠોડ, ઋષિકેશ ભાઈ ત્રિવેદી અને નાજભાઈ દ્વારા સનાતન ધર્મના મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને ફરિયાદી બનીને સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં પોલીસ વિરુદ્ધ પણ સનાતન ધર્મના લોકો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ