બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Indias External Affairs Minister S Jaishankar on statment Indias relationship with Pakistan and China
Kishor
Last Updated: 10:44 PM, 28 June 2023
ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરહદ પરની સ્થિતિને લઈ અને બંને દેશો વચ્ચેના સંબંધો નક્કી કરવામાં આવશે અને જ્યાં સુધી સરહદ પર આતંકવાદનો કોઈ અંત નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથેના સંબંધો સારા નહીં રહે! બીજી બાજુ ચીન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આજે પણ બોર્ડરની સ્થિતિ સામાન્ય કહી શકાય તેવી નથી!
#WATCH | Delhi: EAM Dr S Jaishankar on Pakistan, says, "We can’t allow terrorism to be normalised, we can not allow that to become a basis to come in discussion with Pakistan. Until there is a departure from the abbreviation of policy of cross-border terrorism, it is not possible… pic.twitter.com/LLAW10tEUh
— ANI (@ANI) June 28, 2023
ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં તેવી ચોખ્ખી સ્પષ્ટતા
દિલ્હીના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે ચીન સાથે ભારતના સંબંધો હાલ સારા નથી અને કોઈપણ સંબંધનો દોર તેની લાગણી પર ટકી શકે છે માટે સંબંધમાં માન સન્માન હોવું જોઈએ. જે તે વખતે બંને દેશો વચ્ચે જે કરારો થયા હતા. તેની સમજુતીમાં અસમર્થ રહ્યા બાદ જ સંબંધો બગડ્યા છે અને જ્યાં સુધી શાંતિ નહીં સ્થપાઈ ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં તેવી ચોખ્ખી સ્પષ્ટતા કરી દીધી હતી.
અમેરિકા સાથે આપણા સંબંધ ખુબ સારા
નોંધનીય છે કે ચીનના સંબંધને લઈને વિદેશ મંત્રી એસ જયશંકર અગાઉ પણ અનેક વખત સંબંધ વિશે બોલી ચૂક્યા છે. જેમાં તેઓએ કહ્યું કે ચીન સાથેના સંબંધો ત્યારે જ સુધરશે જ્યારે બોર્ડર પર હાલત સ્થિર થશે! મહત્વનું છે કે ગલવાન હિંસા બાદ બંને દેશોના સંબંધ બગડ્યા છે અને આ ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં બંને વચ્ચેના સંબંધોની ખટાશ હજુ પણ સુધરી નથી. બંને દેશો વચ્ચે આ મામલે અનેક વખત સમજૂતી ના પ્રયાસ કરવા છતાં સફળતા મળી નથી. ચીન પાકિસ્તાન ઉપરાંત વિદેશ મંત્રીએ અમેરિકા સાથેના સંબંધો બાબતે પણ વાત કરી હતી અને તેઓએ અમેરિકા સાથે આપણા સંબંધ ખુબ સારા હોવાનું કહ્યું હતું. વધુમાં યુક્રેન સંકટ વચ્ચે પણ રશિયા સાથે આપણા સબંધ સારા હોવાનું કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ