ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટ મેચ માટે બોર્ડે ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન પસંદ કર્યો નથી. રિપોર્ટ્સ મુજબ કેપ્ટન રોહિત શર્મા તેના પર નિર્ણય લેશે.
કેએલ રાહુલ પાસેથી વાઈસ કેપ્ટન પદ છીનવી લેવામાં આવ્યું
વાઈસ કેપ્ટનશિપને લઇને પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીનુ મોટુ નિવેદન
ભારતને વાઈસ કેપ્ટનની જરૂર નથી: રવિ શાસ્ત્રી
ભારતે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી
ભારતે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમોની વચ્ચે 1 માર્ચથી ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ભારતનો પ્રયાસ સતત ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણી પર પ્રભુત્વ જમાવવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરવા પર છે. થોડા દિવસો પહેલા બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી હતી.
બોર્ડે વાઈસ કેપ્ટનના નામની જાહેરાત કરી નથી
બોર્ડે વિનિંગ ટીમને જાળવી રાખી છે, પરંતુ બોર્ડે વાઈસ કેપ્ટનના નામની જાહેરાત કરી નથી. અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ વાઈસ કેપ્ટન કોણ હશે, તેનો નિર્ણય કેપ્ટન રોહિત શર્મા જ કરશે. એક રીતે કેએલ રાહુલ પાસેથી વાઈસ કેપ્ટન પદ છીનવી લેવામાં આવ્યું છે. હવે વાઈસ કેપ્ટનશિપને લઇને પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપ્યું છે.
રાહુલ અંગે મેનેજમેન્ટને જાણકારી
ત્રીજી ટેસ્ટ પહેલા તેમના નિશાને કેએલ રાહુલ આવી ગયા છે. ભારતના પૂર્વ દિગ્ગજ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારતને વાઈસ કેપ્ટનની જરૂર નથી. તેમનુ કહેવુ છે કે ડોમેસ્ટિક શ્રેણી માટે ભારતનો કોઈ વાઈસ કેપ્ટન હોવો જ ના જોઈએ. આઈસીસી રિવ્યુ પૉડકાસ્ટમાં શાસ્ત્રીએ કહ્યું કે વાઈસ કેપ્ટનશિપને લઇને મેનેજમેન્ટ નિર્ણય કરશે. તેમણે કહ્યું કે મેનેજમેન્ટ રાહુલનુ ફૉર્મ જાણે છે. તેમની માનસિક સ્થિતિને પણ જાણે છે.
મુશ્કેલ સ્થિતિ ના બનાવશો
શાસ્ત્રીએ કહ્યું કે મેનેજમેન્ટ જાણે છે કે શુભમન ગિલ જેવા બેટરને કેવીરીતે જોવાનો છે. આમ ભારતે ડોમેસ્ટિક શ્રેણી માટે વાઈસ કેપ્ટન પસંદ ના કરવો જોઈએ. કેપ્ટને મેદાન પર બધા ખેલાડીઓને એક રીતે જોવા પડશે. એવામાં કોઈને વાઈસ કેપ્ટન બનાવીને તેના માટે વસ્તુઓ મુશ્કેલ ના બનાવો. જો વાઈસ કેપ્ટન પ્રદર્શન ના કરે તો કોઈ પણ તેની જગ્યા લઈ શકે છે. હવે ઓછામાં ઓછુ ટેગ તો નથી. તેમણે કહ્યું કે વિદેશ પ્રવાસની વાત અલગ છે.