બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / In Dhirendra Shastri's Bhagavata Katha, 95 people return to Hinduism together
Priyakant
Last Updated: 02:22 PM, 1 May 2023
બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મધ્યપ્રદેશનાં સાગરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનું રવિવારે સાતમા દિવસે સમાપન થયું હતું. છેલ્લા દિવસે 95 લોકો સનાતન ધર્મમાં પરત ફર્યા હતા. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંચ પરથી પરત આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ મોટી લાલચ આવશે તો શું તમે ફરી જશો, જવાબમાં લોકોએ કહ્યું કે, અમે તમારી પ્રેરણાથી સનાતન ધર્મમાં આવ્યા છીએ અને ક્યારેય પાછા નહીં જઈએ. આ દરમિયાન કથામાં ઉપસ્થિત હજારો લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી હું હિંદુઓને ખંડિત થવા નહીં દઉં. વરસાદ પડી રહ્યો છે, જમીન ચોક્કસપણે ભીની છે, પરંતુ અંતઃકરણ ભીનું ન હોવું જોઈએ. જે યજ્ઞમાં વરસાદ પડે છે તે યજ્ઞ સફળ થાય છે. હું કહેતો હતો કે સાગરમાં કંઈક મોટું થવાનું છે. આજે કેટલાક પરિવારો સનાતન ધર્મમાં પાછા ફરી રહ્યા છે. આમાં 50 થી વધુ પરિવારોના 95 લોકોનો સમાવેશ થાય છે, જેઓ મૂંઝવણમાં પડી ગયા અને અન્ય ધર્મમાં ગયા હતા.
अंतिम सत्र श्री मद भागवत कथा सागर मध्यप्रदेश की अनुपम झलकियाँ…. pic.twitter.com/bKYnWLOnIJ
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) April 30, 2023
વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
કથામાં ભાગવતના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું અને અનેક ઉદાહરણોનું વર્ણન કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો કથામાં ઉમટી પડ્યા હતા. કથાના અંતિમ દિવસે તેમણે કહ્યું કે, તમે બધા સાગરના લોકો ધન્ય છો, આજે મારો અહીં કથાનો છેલ્લો દિવસ છે. અહીં જેવી ભક્તિ ક્યાંય જોઈ નથી. મને તમારા બધાની આદત પડી ગઈ છે. ટૂંક સમયમાં ફરી આવીશ અને તમને બધાને રામ કથા સંભળાવીશ.
મોડી રાતથી જ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા
કથાના છેલ્લા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. બાગેશ્વર ધામ સરકારના દર્શન કરવા મોડી રાતથી જ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોને વરસાદમાં ભીંજાતા જોઈને તેઓ બાલ્કનીમાંથી વારંવાર લોકોનું અભિવાદન કરતાં રહ્યા હતા. આ સાથે જ સાથીદારોને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશ આપતા રહ્યા. જ્યારે તેઓ પોતે વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવતા રહ્યા ત્યારે તેમણે કથા પંડાલમાં કહ્યું કે, સાગર જેવા શ્રોતાઓ ક્યાંય જોવા મળતા નથી. તમારી શ્રદ્ધા અપાર છે. તેથી જ હું ત્રણ દિવસથી સૂતો નથી. હવામાન ગમે તે હોય, ગમે તેટલું વાવાઝોડું આવે અમને કથા કરવાથી કોઈ રોકી નહીં શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ