બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat government has realized PM Modis resolution Amrit Sarovar work 100 completed
Kishor
Last Updated: 05:11 PM, 21 July 2023
પાણી બચાવવાની દિશામાં કાર્યવાહી કરવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. જેને વધાવી લઈ ગુજરાત સરકાર દ્વારા અમૃત સરોવર મામલે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે અને 100 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં નવા 2652 અમૃત સરોવરોનું નિર્માણ કરાયું છે. મહત્વનું છે કે રાજ્યમાં 2452 સરોવરોના લક્ષ્ય સામે સરકાર દ્વારા 2652 સરોવરોનું નિર્માણ કરાયું છે. નોંધનીય છે કે એપ્રિલ 2022 મા વડાપ્રધાન મોદી દ્વારા દરેક જિલ્લામાં અમૃત સરોવર બનાવવા હાંકલ કરી હતી.
દરેક સરોવરમાં 10 હજાર ક્યુબિક મીટર પાણીની સંગ્રહ ક્ષમતા
એટલે કે ગુજરાતમાં અમૃત સરોવરની કામગીરી 100 ટકા ઉપરાંત પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં દરેક સરોવરમાં 10 હજાર ક્યુબિક મીટર જળસંગ્રહની ક્ષમતા છે. ખાસ વાતએ છે. તળાવો ઊંડા કરવાની કામગીરી બાદ નીકળેલી માટીનો હાઇવે અને રેલવે પ્રોજેક્ટમાં ઉપયોગ કરાયો જોવાનું જાણવા મળી રહ્યું છે. જળસંચય માટે વડાપ્રધાનની અપીલ નો ઉદ્દેશ આ લગભગ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃતસર બનાવવાનો છે. જેના વિસ્તારની વાત કરવામાં આવે તો આ અમૃત સરોવર એક એકર જેટલું વિસ્તતરાયેલ તળાવ એટલે કે 10,000 ઘન મીટર પાણી રાખવાની ક્ષમતા ધરાવતું તળાવ હશે. જેમાં લોક ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ મામલે આગામી મહિનાઓમાં અમૃત સરોવરને લઈ જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
અમૃત સરોવરના માટીનો ઉપયોગ હાઈવે અને રેલવે પ્રોજેક્ટમાં
તાજેતરમાં જ યોગ દિવસ નિમિત્તે 1597 સરોવરમાં 65,000 થી વધુ લોકો જોડાયા હતા. આ ઉપરાંત 1 જુલાઈના રોજ અમૃતસર ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી. તો અમૃતસરના ફાયદાઓ મામલે લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા સેનાનીઓ તથા તેમના પરિવારના સદસ્યો દ્વારા 665 અમૃત સરોવર પર સ્મારક રૂપે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. રેલવે અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ સહિતના માર્ગના કામમાં આ માટીનો ઉપયોગ કરાય છે. તો સ્થાનિક ખેડૂતો પણ ફળદ્રુપ માટીને ખેતરમાં નાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ