બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 12:32 PM, 15 September 2023
મંગળવારે 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચોથ છે. તે દિવસે રવિ યોગમાં ગણેશ ચતુર્થી ઊજવવામાં આવશે, પરંતુ તે દિવસે સવારથી જ ભદ્રા લાગી રહ્યો છે. ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવશે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમામ સંકટ દૂર થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગ, ભદ્રા, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગ ક્યારે છે?
ગણેશ ચતુર્થીના દિવસે 19 સપ્ટેમ્બરના રોજ સવારે 06:08 વાગ્યાથી રવિ યોગ બની રહ્યો છે, જે બપોરે 01:48 વાગ્યે પૂર્ણ થશે. ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગમાં પૂજા કરવી, જે શુભ યોગ માનવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે ભદ્રા ક્યારે છે?
ગણેશ ચતુર્થીના દિવસે સવારથી જ ભદ્રા લાગી જશે, સવારે 06:08 વાગ્યાથી બપોરે 01:43 વાગ્યા સુધી ભદ્રા છે. ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હશે, ભદ્રા દરમિયાન શુભ કાર્ય ના કરવા જોઈએ.
ભદ્રામાં ગણેશ ચતુર્થીની પૂજા કેવી રીતે કરવી?
ભદ્રા દરમિયાન શુભ કાર્ય ના કરવા જોઈએ, પરંતુ પૂજા કરી શકાય છે. ગણેશ ચતુર્થીના દિવસે પાતાળની ભદ્રા છે, જેનો પૃથ્વી લોક પર દુષ્પ્રભાવ થતો નથી.
ગણેશ ચતુર્થીના દિવસે પૂજા મુહૂર્ત?
ગણેશ ચતુર્થીના દિવસે સવારે 11:01 વાગ્યાથી બપોરે 01:28 વાગ્યા સુધી પૂજાનું શુભ મુહૂર્ત છે. આ દરમિયાન ગણેશજીની સ્થાપના કરીને વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ.
ગણેશ ચતુર્થી શુભ સમય
ગણેશ ચતુર્થી પ્રારંભ: 18 સપ્ટેમ્બર બપોરે 12:39 વાગ્યાથી શરૂઆત
ગણેશ ચતુર્થી સમાપ્તિ: 19 સપ્ટેમ્બર બપોરે 01:43 વાગ્યા સુધી
સ્વાતિ નક્ષત્ર: 19 સપ્ટેમ્બર સવારથી બપોરે 01:48 વાગ્યા સુધી, ત્યારપછી વિશાખા નક્ષત્ર
અભિજિત મુહૂર્ત: સવારે 11:50 વાગ્યાથી બપોરે 12:39 વાગ્યા સુધી
ગણેશ ચતુર્થી પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે એક બાજઠ પર પીળા રંગની ચાદર અથવા કપડું પાથરીને રાખવું. વિધિ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો. હવે ગંગાજળથી અભિષેક કરો. હવે વસ્ત્ર, ફૂલ, માળા, જનોઈથી સુશોભિત કરો. હવે અક્ષત્, હળદર, પાનના પત્તા, સોપારી, ચંદન, ધૂપ, દીવા, નારિયેળથી પૂજા કરો. હવે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરીને મોદક અથવા લાડવાનો ભોગ ધરાવો.
આ દરમિયાન ओम गं गणपतये नमो नम: મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. પૂજા સમયે ગણેશ ચતુર્થીની કથા સાંભળો, ત્યારપછી ભગવાન ગણેશની આરતી કરો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ