બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / ganesh chaturthi 2023 ganesh puja vidhi and importance of ganesh utsav

Ganesh Chaturthi 2023 / ગણેશ ચતુર્થીના દિવસે પણ સવારથી જ લાગી જશે ભદ્રા: રવિ યોગમાં જાણો કઈ રીતે કરવી પૂજા અને શું છે મુહૂર્ત

Manisha Jogi

Last Updated: 12:32 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીના દિવસે સવારથી જ ભદ્રા લાગી રહ્યો છે. ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવશે.

  • મંગળવારે 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચોથ
  • ગણેશ ચતુર્થીના દિવસે સવારથી જ ભદ્રા લાગી રહ્યો છે
  • આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવશે

મંગળવારે 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચોથ છે. તે દિવસે રવિ યોગમાં ગણેશ ચતુર્થી ઊજવવામાં આવશે, પરંતુ તે દિવસે સવારથી જ ભદ્રા લાગી રહ્યો છે. ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવશે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમામ સંકટ દૂર થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગ, ભદ્રા, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગ ક્યારે છે?
ગણેશ ચતુર્થીના દિવસે 19 સપ્ટેમ્બરના રોજ સવારે 06:08 વાગ્યાથી રવિ યોગ બની રહ્યો છે, જે બપોરે 01:48 વાગ્યે પૂર્ણ થશે. ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગમાં પૂજા કરવી, જે શુભ યોગ માનવામાં આવે છે. 

ગણેશ ચતુર્થીના દિવસે ભદ્રા ક્યારે છે?
ગણેશ ચતુર્થીના દિવસે સવારથી જ ભદ્રા લાગી જશે, સવારે 06:08 વાગ્યાથી બપોરે 01:43 વાગ્યા સુધી ભદ્રા છે. ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હશે, ભદ્રા દરમિયાન શુભ કાર્ય ના કરવા જોઈએ. 

ભદ્રામાં ગણેશ ચતુર્થીની પૂજા કેવી રીતે કરવી?
ભદ્રા દરમિયાન શુભ કાર્ય ના કરવા જોઈએ, પરંતુ પૂજા કરી શકાય છે. ગણેશ ચતુર્થીના દિવસે પાતાળની ભદ્રા છે, જેનો પૃથ્વી લોક પર દુષ્પ્રભાવ થતો નથી. 

ગણેશ ચતુર્થીના દિવસે પૂજા મુહૂર્ત?
ગણેશ ચતુર્થીના દિવસે સવારે 11:01 વાગ્યાથી બપોરે 01:28 વાગ્યા સુધી પૂજાનું શુભ મુહૂર્ત છે. આ દરમિયાન ગણેશજીની સ્થાપના કરીને વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. 

ગણેશ ચતુર્થી શુભ સમય
ગણેશ ચતુર્થી પ્રારંભ: 18 સપ્ટેમ્બર બપોરે 12:39 વાગ્યાથી શરૂઆત
ગણેશ ચતુર્થી સમાપ્તિ: 19 સપ્ટેમ્બર બપોરે 01:43 વાગ્યા સુધી
સ્વાતિ નક્ષત્ર: 19 સપ્ટેમ્બર સવારથી બપોરે 01:48 વાગ્યા સુધી, ત્યારપછી વિશાખા નક્ષત્ર
અભિજિત મુહૂર્ત: સવારે 11:50 વાગ્યાથી બપોરે 12:39 વાગ્યા સુધી

ગણેશ ચતુર્થી પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે એક બાજઠ પર પીળા રંગની ચાદર અથવા કપડું પાથરીને રાખવું. વિધિ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો. હવે ગંગાજળથી અભિષેક કરો. હવે વસ્ત્ર, ફૂલ, માળા, જનોઈથી સુશોભિત કરો. હવે અક્ષત્, હળદર, પાનના પત્તા, સોપારી, ચંદન, ધૂપ, દીવા, નારિયેળથી પૂજા કરો. હવે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરીને મોદક અથવા લાડવાનો ભોગ ધરાવો. 

આ દરમિયાન ओम गं गणपतये नमो नम: મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. પૂજા સમયે ગણેશ ચતુર્થીની કથા સાંભળો, ત્યારપછી ભગવાન ગણેશની આરતી કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ