બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Minister of State for Gujarat Tarachand Chheda passes away
Vishnu
Last Updated: 09:11 PM, 23 April 2022
રાજ્યના પૂર્વ મંત્રી તારચંદ છેડાનું લાંબી બિમારી સામે ઝઝૂમ્યા બાદ આજે તેઓનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે તારાચંદ છેડાએ અંતિમ શ્વાસ લીધા છે. શુક્રવારના રોજ સિમ્સ હોસ્પિટલમાંથી તેમને ભૂજ તેઓના નિવાસ સ્થાને ખસેડવામાં આવ્યા હતા. તારાચંદભાઈ જૈન સમાજના રત્ન તરીકે ઓળખાય છે સાથે જ તેઓ ક્ચ્છ ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા.ગુજરાત ભાજપને તારાચંદના નિધનથી મોટી ખોટ પડી છે.
અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી મોક્ષ માર્ગે જવા અનશન લીધું હતું
તારાચંદ છેડાના નિધનના સમાચાર મળતા જ તેઓના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતેના નિવાસ્થાન રહેતા હતા. કચ્છ વિસ્તાર હાલ શોક મગ્ન છે. એક માસ પૂર્વે તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદ ખાતે ચાલી રહેલી સારવાર બાદ તેમણે જૈન ધર્મ અનુસાર અનશન વ્રતની ઈચ્છા પ્રગટ કરી હતી. અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી મોક્ષ માર્ગે જવા અનશન વ્રત લીધું હતું.
રાજકિય કારકિર્દી
પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાની રાજકિય કારકિર્દી પર નજર કરીએ તો અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અને રાજ્યમંત્રી પણ બન્યા હતા.તેઓ રાજકારણમાં સક્રિય હોવા છતાં સામાજિક શ્રેઠી તરીકે પણ ઓળખ ધરાવતા હતા. આજે તારાચંદ છેડાનું નિધન થતાં જૈન સમાજે એક રત્ન ખોયું છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી તારાચંદભાઇ છેડાના દુઃખદ અવસાન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. તેઓનું જાહેર જીવન, સામાજિક સેવા અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન ચિરંજીવ રહેશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વ્યક્ત કર્યો શોક
કચ્છ ભાજપાના અગ્રણી નેતા શ્રી તારાચંદ છેડા જી નાં દુઃખદ અવસાન થી શોક ની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.ૐ શાંતિ
મંત્રી પ્રદીપ પરમારે કર્યું ટ્વીટ
માજી રાજ્યમંત્રી અને માંડવી-મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય શ્રી તારાચંદ છેડા જી ના દુઃખદ અવસાનના સમાચારથી શોકની લાગણી અનુભવું છું.ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો તથા શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ