બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Hiralal
Last Updated: 03:50 PM, 2 March 2024
લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના હજારીબાગના સાંસદ જયંત સિંહાએ રાજનીતિમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. જયંત સિંહાએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાને ચૂંટણીની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે.
જળવાયુ પરિવર્તનની સમસ્યાના ઉકેલ પર કામ કરવા માગે છે
જયંત સિન્હાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એક્સ પરની એક પોસ્ટમાં, સિંહાએ જણાવ્યું હતું કે તેમણે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાને તેમની "સીધી ચૂંટણી ફરજો" થી મુક્ત કરવા માટે "વિનંતી" કરી છે જેથી તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
BJP MP Jayant Sinha says, "I have requested Hon’ble Party President Shri JP Nadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world." pic.twitter.com/mDlxP1mUrw
— ANI (@ANI) March 2, 2024
જળવાયુ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે: જયંત સિન્હા
"અલબત્ત, હું આર્થિક અને શાસનના મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. તેમણે કહ્યું હતું કે, "મને છેલ્લાં 10 વર્ષથી હઝારીબાગનાં લોકોની અને ભારતની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ ઉપરાંત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્વ દ્વારા મને ઘણી તકો આપવામાં આવી હતી. સૌનો હૃદયપૂર્વક આભાર. જય હિન્દ.
ગૌતમ ગંભીરે પણ કર્યું લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન
ઉલ્લેખનીય છે આજે ભાજપના બે નેતાઓએ ચૂંટણી ન લડવાનું એલાન કર્યું છે જેમા પહેલા ગૌતમ ગંભીર અને બીજા જયંત સિંહા છે. ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે
તેઓ રાજનીતિમાંથી સંન્યાસ લેવા માંગે છે. આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે.
🔳 Political Breaking:
— Saibpal Pandit (@PanditSaibpal) March 2, 2024
📢 Sitting MP from HAZARIBAGH Parliamentary Constituency Mr Jayant Sinha resigns from BJP.
▫️He is the son of Former FM Yashwant Sinha.
▫️BIG set back to #BJP in Jharkhand .#LokSabhaElections2024#Jharkhand pic.twitter.com/3HZtw7aWlv
STORY | Jayant Sinha expresses desire not to contest Lok Sabha polls
— Press Trust of India (@PTI_News) March 2, 2024
READ: https://t.co/Y73PQrFtfg pic.twitter.com/T8h85l1PW3
કોણ છે જયંત સિન્હા
જયંત સિન્હા ટીએમસી નેતા યશવંત સિન્હાના પુત્ર છે. જયંતે 2014માં પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જયંત પીએમ મોદીના પહેલા કાર્યકાળમાં મંત્રી હતા અને 2016થી 2019 વચ્ચે ઉડ્ડયન રાજ્યમંત્રી હતા. આ ઉપરાંત તેઓ 2014થી 2016 વચ્ચે નાણા રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જયંત સિન્હાને 2019માં ફરી એકવાર હજારીબાગ સીટ પરથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ પણ પાર્ટીની આશાઓ પર ખરા ઉતર્યા હતા. તેઓ ફરી એકવાર જીત્યા પરંતુ પીએમ મોદીના બીજા કાર્યકાળમાં તેમને કોઈ મંત્રાલય નહોતું આપવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ