વિદેશ મંત્રી એસ. જયશંકર નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા માટે 52 રાજદૂતો અને હાઇ કમિશનરોની સાથે વડોદરામાં પહોંચ્યા છે. અહીં તેમણે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત કરી.
વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની વિદેશ નીતિ પર નિવેદન આપ્યું હતું. એસ. જયશંકરે કહ્યું કે, ભારત બધા દેશ સાથે મૈત્રી ઈચ્છે છે. અમેરિકાના UNમાં પ્રસ્તાવમાં ભારતે સહમતી દર્શાવી નથી. ભારત શાંતિ ઇચ્છે છે, ભારત યુદ્વના સમર્થનમાં નથી. PM મોદીની વિદેશ નીતિએ દેશને ઉચું સ્થાન આપ્યું છે. અન્ય દેશો ભારતને સન્માનની નજરે જોવા લાગ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા કહ્યું કે જે રીતે ભારત સૂચના પ્રૌદ્યોગિકીનું વિશેષજ્ઞ છે, એજ રીતે અમારા પાડોશી આંતરરાષ્ટ્રીય આતંકવાદના વિશેષજ્ઞ છે. તેમણે ચેતવણી આપી દીધી કે જો આતંકવાદનો ઉપયોગ અમારા વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે, તો કાલે આ તમારા વિરૂદ્ધ હશે.
Rising India and the World: Foreign Policy in the Modi era विषय पर वडोदरा के सर सयाजीराव नगर गृह में युवा भारत से चर्चा की।
પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિઝ્મનું એક્સપર્ટ
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, અમારા એક પાડોશી છે. જેવી રીતે અમે આઈટીના વિશેષજ્ઞ છીએ તો તેઓ ઇન્ટરનેશનલ ટેરરિઝ્મના એક્સપર્ટ છે. વર્ષોથી એવું ચાલી રહ્યા છે કે અમે આનો સામનો કેવી રીત કરીએ. આ મુદ્દે અમને સફળતા મળી છે કે અમે દુનિયાને સમજાવી શકીએ કે આતંકવાદને એ ન સમજે કે આ રાજનીતિ કે રણનીતિક છે. આતંકવાદ તો માત્ર આતંકવાદ જ છે. આજે આનો ઉપયોગ અમારી વિરૂદ્ધ થઇ રહ્યો છે, તો કાલે તમારા વિરૂદ્ધ પણ થશે.
52 રાજદૂતો અને હાઈ કમિશનરો સાથે લક્ષ્મી વિલાસ મહેલની મુલાકાત લઈને ઘણો આનંદ થયો.
જેમાં તેમની સાથે રાજા રવિ વર્માના ચિત્રસંગ્રહ જોવાનો લહાવો વિશેષ હતો. https://t.co/tspLkem4ss
દુનિયાનો નજરીયો બદલ્યો
વિદેશ મંત્રીએ કહ્યું કે, દુનિયા હવે સમજી ચૂકી છે કે હકિકતે આ ગંભીર સમસ્યા છે. તમે જોયું હશે કે પહેલા જે ધારણા હતી કે આતંકવાદનો ઉપયોગ ક્યાંક બીજે થઇ રહ્યો છે તો અમને એની શું ચિંતા. આજે દુનિયાનો નજરિયો બદલ્યો છે. ભારત આ મુદ્દા પર દુનિયાને સાથે લાવવામાં કામયાબ થયું છે. આજે આતંકવાદનો ટુલ્સની જેમ ઉપોયગ કરનારા દેશો પર પ્રેશર બન્યું છે. જો તેઓ કંઇક કરે પણ છે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવે છે.
આતંકવાદી ગતિવિધિઓ ઘટી
પૂર્વોત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓ પર એસ. જયશંકરે કહ્યું કે, હાલના વર્ષોમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થઇ છે કારણ કે ભારત અને બાંગ્લાદેશે સીમા કરાર કર્યા છે. આ કરારે આતંકવાદીઓને બાંગ્લાદેશમાં આશરો લેવાથી રોકવાનું કામ કર્યું છે. જયશંકરે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી તેલના ભાવના વચ્ચે વૈશ્વિક પ્રેશરની આગળ નહીં ઝૂકે અને સ્પષ્ટ કર્યું કે ભારતને એ કરવું જોઈએ જે દેશ માટે સૌથી સારું હોય. જો પ્રેશરમાં આવ્યા તો અડગ રહીને મુકાબલો કરીશું.