બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Priyakant
Last Updated: 01:48 PM, 5 January 2024
DSP Joginder Sharma FIR : હરિયાણામાં આત્મહત્યાના મામલાને લઈને પૂર્વ ક્રિકેટર અને DSP જોગીન્દર શર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેના પર યુવકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી DSP મૃતક પર ઘર ખાલી કરવા દબાણ કરતો હતો. તેમણે DSPની ધરપકડની માંગ કરી છે. જોગીન્દર શર્મા ઉપરાંત FIR પાંચ અન્ય લોકોના નામ પણ સામેલ છે.
એક અહેવાલ મુજબ મામલો હિસારના દબડા ગામનો છે. 1 જાન્યુઆરીએ અહીં રહેતા એક યુવકે મિલકતના વિવાદના દબાણમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ 27 વર્ષીય પવન તરીકે થઈ છે. સુનીતાની ફરિયાદના આધારે 2 જાન્યુઆરીની રાત્રે છ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોગીન્દર સિંહ ઉપરાંત આરોપીઓમાં અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, અર્જુન અને હોકી કોચ રાજેન્દ્ર સિહાગનો સમાવેશ થાય છે.
વિગતો મુજબ આ મામલો 2020ના અન્ય કેસ સાથે સંબંધિત છે. પવનની માતા સુનીતાએ જણાવ્યું કે, ઓક્ટોબર 2020માં તેણે આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ (જોગીન્દર શર્મા સિવાય) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે, એક મહિના પછી આરોપીએ તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પવનની બહેને કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે, પોલીસે તે કેસમાં FIR નોંધી નથી. ત્યારબાદ જોગીન્દર શર્માને DSPના પદ પર તૈનાત હતા.
આ તરફ આરોપીઓ પવન અને તેના પરિવારને ઘણા વર્ષોથી હેરાન કરતા હતા. પવનની માતા સુનીતાએ આરોપ લગાવ્યો કે, થોડા દિવસો પહેલા અજયબીર અને તેનો પુત્ર અર્જુન આવ્યા અને તેના પુત્ર પવનને ઘર ખાલી કરવા કહ્યું, ત્યારબાદ દબાણમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. નોંધનિય છે કે, હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. તેણે પોતાની કારકિર્દીની તમામ T20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો. તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી ODI મેચ 2007માં રમી હતી.અહી એ પણ મહત્વનું છે કે, જોગીન્દ્ર શર્માને ધોનીનો વિશ્વાસુ માનવામાં આવે છે અને ધોનીએ તેમના પર વિશ્વાસ મૂકી છેલ્લી ઓવર આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ