બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / FIR against MS Dhoni's former bowler: Allegation of forcing young man to end his life

કાર્યવાહી / MS ધોનીના પૂર્વ બોલર વિરૂદ્ધ FIR: લાગ્યો યુવકને જીવન ટૂંકાવવા મજબૂર કર્યાનો આક્ષેપ, જાણો વિગત

Priyakant

Last Updated: 01:48 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DSP Joginder Sharma FIR Latest News: પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી DSP મૃતક પર ઘર ખાલી કરવા દબાણ કરતો હતો, પરિજનોએ કરી DSPની ધરપકડની માંગ

  • હરિયાણામાં આત્મહત્યાના મામલે પૂર્વ ક્રિકેટર સામે FIR  
  • પૂર્વ ક્રિકેટર અને DSP જોગીન્દર શર્મા વિરુદ્ધ નોંધાઈ FIR  
  • યુવકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ

DSP Joginder Sharma FIR : હરિયાણામાં આત્મહત્યાના મામલાને લઈને પૂર્વ ક્રિકેટર અને DSP જોગીન્દર શર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેના પર યુવકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી DSP મૃતક પર ઘર ખાલી કરવા દબાણ કરતો હતો. તેમણે DSPની ધરપકડની માંગ કરી છે. જોગીન્દર શર્મા ઉપરાંત FIR પાંચ અન્ય લોકોના નામ પણ સામેલ છે.

એક અહેવાલ મુજબ મામલો હિસારના દબડા ગામનો છે. 1 જાન્યુઆરીએ અહીં રહેતા એક યુવકે મિલકતના વિવાદના દબાણમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ 27 વર્ષીય પવન તરીકે થઈ છે. સુનીતાની ફરિયાદના આધારે 2 જાન્યુઆરીની રાત્રે છ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોગીન્દર સિંહ ઉપરાંત આરોપીઓમાં અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, અર્જુન અને હોકી કોચ રાજેન્દ્ર સિહાગનો સમાવેશ થાય છે.

વિગતો મુજબ આ મામલો 2020ના અન્ય કેસ સાથે સંબંધિત છે. પવનની માતા સુનીતાએ જણાવ્યું કે, ઓક્ટોબર 2020માં તેણે આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ (જોગીન્દર શર્મા સિવાય) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે, એક મહિના પછી આરોપીએ તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પવનની બહેને કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે, પોલીસે તે કેસમાં FIR નોંધી નથી. ત્યારબાદ જોગીન્દર શર્માને DSPના પદ પર તૈનાત હતા.

વાંચો વધુ: 5 કરોડ કેશ, વિદેશી હથિયાર..., હરિયાણામાં INLD નેતા દિલબાગ સિંહના ઘરેથી મળ્યાં એટલાં રૂપિયા કે અધિકારી નોટો ગણતા-ગણતા થાકી ગયા

આ તરફ આરોપીઓ પવન અને તેના પરિવારને ઘણા વર્ષોથી હેરાન કરતા હતા. પવનની માતા સુનીતાએ આરોપ લગાવ્યો કે, થોડા દિવસો પહેલા અજયબીર અને તેનો પુત્ર અર્જુન આવ્યા અને તેના પુત્ર પવનને ઘર ખાલી કરવા કહ્યું, ત્યારબાદ દબાણમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. નોંધનિય છે કે, હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. તેણે પોતાની કારકિર્દીની તમામ T20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો. તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી ODI મેચ 2007માં રમી હતી.અહી એ પણ મહત્વનું છે કે, જોગીન્દ્ર શર્માને ધોનીનો વિશ્વાસુ માનવામાં આવે છે અને ધોનીએ તેમના પર વિશ્વાસ મૂકી છેલ્લી ઓવર આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ