બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vishal Khamar
Last Updated: 08:41 PM, 30 September 2023
અમદાવાદના સરખેજ વિસ્તારમાં પાંચ માસ પહેલા થયેલી હત્યા ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતાં મળી છે. સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનાથલ બ્રિજ પાસે એક વ્યક્તિને માર મારી નગ્ન હાલતમાં લાશ ફેંકી દેવામાં આવી હતી. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાને પાંચ મહિના બાદ અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ત્રણ આરોપીને ઝડપી પડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી માં જોવા મળતા આરોપી અરવિંદ ઉર્ફે અન્નનો ઠાકોર, દિવ્યાશું ઉર્ફે દેવો ચૌહાણ, અને બેચર ઠાકોરએ પપ્પુ નિશાદ નામના યુવકની હત્યા કરીને મૃતદેહ નગ્ન અવસ્થામાં ફેંકી દીધો હતો.
પૈસા ઉઘરાવવા બાબતે થયો હતો ઝઘડો
પોલીસ તપાસમાં સામે આપ્યું છે કે મૃતક પપ્પુ નિશાદ અને આરોપીઓ વચ્ચે અનૈતિક ધંધા માટે પૈસા ઉઘરાવવાની બાબતે ઝઘડો થયો હતો. સરખેજના સનાથલ બ્રિજના છેડે યુવતીઓ ચોરી છુપેથી અનૈતિક વેપારની પ્રવૃત્તિઓ કરતી હતી. જેમાં ઝડપાયેલા 3 આરોપીઓ એમની પાસેથી દેહ વેપારના ધંધામાં સરળતા રહે તે માટે નાણા ઉઘરાવતા. આ બાબતની જાણ પપ્પુને થતા તેને પણ દેહ વેપાર કરતી યુવતીઓ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી આરોપીઓ અને મૃતક વચ્ચે ઝઘડો થયો.
પાંચ મહીના પહેલા સરખેજ સનાથળ બ્રીજ નજીક કાચા રસ્તા ઉપર શરીરે મુંઢ માર મારેલ નગ્ન હાલતમાં એક પુરુષની લાશ મળી આવેલ. જે પુરુષના શંકાસ્પદ મોત બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. pic.twitter.com/YVkHSzpFJX
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 30, 2023
પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા
23 એપ્રિલના રોજ રાત્રે આ બાબતની અદાવત રાખી ત્રણેય આરોપીઓએ પપ્પુને દંડાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને નગ્ન અવસ્થામાં મૃતદેહ ફેંકી દીધો હતો. મહત્વનું છે કે ઘટના સ્થળ પર સીસીટીવી અથવા તો કોઈ પણ પ્રકારના ગુનેગારો સુધી પહોંચી શકાય તેવી કડીઓ ન હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પકડાયેલ આરોપી પૈકી અરવિંદ ઠાકોર અને બેચર ઠાકોર વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો છે.
હત્યા કેસમાં પાંચમાંથી ત્રણની ધરપકડ
આ હત્યા કેસમા પાંચ આરોપીની સંડોવણી ખુલી છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ બે આરોપી ફરાર છે. જીગર ચૌહાણ અને શભુ પરમાર નામના બન્ને આરોપી ની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ