પંજાબ-રાજસ્થાનની બ્લેક લિસ્ટેડ કોલેજના વિદ્યાર્થીઓને નહીં મળે ફાર્મસીનું લાયસન્સ, ફાર્મસી કાઉન્સિલે ઓફ ઇન્ડીયા લીધો કડક નિર્ણય
ફાર્મસી ઇન્ડીયા કાઉન્સિલનો નિર્ણય
પંજાબ-રાજસ્થાનની 4 કોલેજોને કરાઇ બ્લેક લીસ્ટ
ફાર્મસી કાઉન્સિલના લાઇસન્સને લઈને નિયમો બદલાયા છે.હવેથી D.Pharm માટે કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન મેળવવા માટે એક્ઝિટ એક્ઝામ ફરજિયાત કરી દેવામાં આવી છે...આ એક્ઝિટ એક્ઝામમાં ત્રણ પેપર લેવામાં આવશે.ત્રણેય પેપરમાં 50 ટકા માર્કસ આવશે તો જ ફાર્મસી કાઉન્સિલનું લાઇસન્સ મળશે.તથા આ ફાર્મસી કાઉન્સિલની એક્ઝિટ એક્ઝામ વર્ષમાં બે વાર લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હાજરી લીધા વિના બારોબાર ડિગ્રી આપતી કોલેજોને અટકાવવા માટે ફાર્મસી કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની કાર્યવાહીના ભાગરૂપે આજે રાજસ્થાન-પંજાબની 4 કોલેજોને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે.
કઈ કોલેજો કરાઇ બ્લેક લિસ્ટ?
સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મસી રાજસ્થાન
પેસિફિક કોલેજ ઓફ ફાર્મસી, ઉદયપુર
નુરી કોલેજ ઓફ ફાર્મસી
પંજાબની અન્ય એક કોલેજ
4 કોલેજોના વિદ્યાર્થીઓને ફાર્મસીનું લાયસન્સ નહીં મળે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 4 કોલેજોને બ્લેક લિસ્ટ કરી દીધી છે. હવે ઉપરોક્ત ચારે કોલેજોનું ફાર્મસીની સર્ટી માન્ય ગણવામાં આવશે નહીં. ફરિયાદ બાદ સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેની કાર્યવાહીના ભાગરૂપે 4 કોલેજો જે બ્લેક લિસ્ટેડ થઈ ગઈ છે જેથી કોલેજના વિદ્યાર્થીઓને ફાર્મસીનું લાયસન્સ નહીં મળે. ગુજરાતના કેટલાક લોકોએ રાજસ્થાન-પંજાબથી ડિગ્રી લીધી હતી. જે બાદ ક્રોસ વેરિફિકેશન સમયે ડિગ્રી ઘરે બેઠા લીધા હોવાનો ખુલાસો થયો છે. બેન થયેલી ચાર કોલેજો સામે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જે બાદ ત્રણ વર્ષ સુધી ચાલેલા કેસમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલને સફળતા મળી છે. હાલ તો ગુજરાતમાંથી ઘરેબેઠા ફાર્મસીની ડિગ્રી લેનાર લોકો સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ખોટી ડિગ્રીને લઇ કાઉન્સિલ દ્વારા નિયમ બદલાયા
ડૉ.મોન્ટુ કુમાર પટેલ -મેમ્બર,ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ડિપ્લોમા ફાર્મસી કરી જે લોકો આવે છે, જે કોલેજો નોન એટેન્ડીંગ એટલે કે ઘેરે બેઠા ડિગ્રીઓ આપી રહી છે. આ ગેરવહીવટને અટકાવવા માટે ફાર્મસી કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 2017માં જ્યારે ગુજરાત ફાર્મસી કાઉન્સિલની બેઠક મળી હતી ત્યારે લેવાયો હતો પણ અમલવારી 2022થી શરૂ કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમથી ઘેરે બેઠા જે ડિગ્રીઓ 3 4 લાખ આપીને લઈ આવતા હતા તેના પર બ્રેક લાગશે. રાજસ્થાન, પંજાબ અને બેગલોરથી ડિગ્રી લઈને પણ લોકો આવતા હતા. જેમાં આધેડ વયના લોકો પણ સામેલ હતા. આ નિર્ણયથી ફાર્મસીની વ્યવસ્થા સુઘડ અને સુદ્રઢ બનેશે જેનો ફાયદો દરેકને મળશે.