બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress leader Faisal Patel opposed the Congress-AAP alliance
Dinesh
Last Updated: 06:22 PM, 24 February 2024
લોકસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધનને લઈ ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ સર્જાયા છે. ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવાની કોંગ્રેસ કાર્યકરોની માંગ હતી. જ્યારે ગઠબંધનમાં નક્કી થયું છે કે, આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. જેને લઈ ફૈઝલ પટેલે અને મુમતાઝ પટેલે તેમનો આક્રોશ ઠાલવ્યો છે.
હું આજે દિલ્લી જઈને હાઇકમાન્ડને મળીશઃ ફૈઝલ પટેલ
ગુજરાતમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનને લઇ ભરૂચમાં ભડકાના એંધાણ સર્જાયા છે. ભરૂચમાં કોંગ્રેસના દાવેદાર ફૈઝલ પટેલે ગઠબંધનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, હું આજે દિલ્લી જઈને હાઇકમાન્ડને મળીશ. ભરૂચ લોકસભાની સીટ પરથી કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, હું અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આનો વિરોધ કરીએ છીએ. ફૈઝલ પટેલે કહ્યું કે, હું કોંગ્રેસના હાઈકમાન્ડને મળવા જઉં છું, હજુ ઘણો સમય છે. તેમણે કહ્યું કે, ચૈતરભાઈને જે બોલવું હોય તે બોલવા આપો હજુ વાત પૂરી થઈ નથી, હજુ ઘણો સમય છે. પાર્ટીના કાર્યકરો જે કહેશે તે હું કરીશ. ભરૂચ બેઠક કોંગ્રેસની જડ છે
ગઠબંધન જાહેરાત બાદ મુમતાઝ પટેલની પ્રતિક્રિયા
ગુજરાત લોકસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગઠબંધન જાહેર કરાયા બાદ મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભરૂચ બેઠક સુરક્ષિત નહી કરવા બદલ જિલ્લા કેડરની માફી માગુ છુ.આપણે સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવીશુ.
વાંચવા જેવું: ભરૂચ બેઠક પર એક થઈ શકશે AAP અને કોંગ્રેસના કાર્યકર્તાઓ? ચૈતર વસાવાએ કહ્યું- તમામ સાથીઓને સાથે લઈને ચાલીશ
AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ શું કહ્યું
AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ કરેલી જાહેરાતને વધાવતા કહ્યું કે, કોંગ્રેસના મોવડી મંડળ તેમજ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનો આભાર માનું છું. તેમણે ઉમેર્યું કે, હું વિશ્વાસ આપુ છું કે કોંગ્રેસના સાથીઓને સાથે લઈને આગળ વધીશુ. કોંગ્રેસના લોકો સાથે બેસી રણનીતિ બનાવી ભરૂચ લોકસભા બેઠક પરથી જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા