બ્રેકિંગ ન્યુઝ
તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી
દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન
અમદાવાદમાં વરસાદ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
VTV / ભારત / congress leader acharya pramod krishnam on ram mandir pran pratistha program in ayodhya up
Hiralal
Last Updated: 06:08 PM, 21 January 2024
કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો છે પરંતુ હવે પાર્ટીના સિનિયર નેતાઓને પણ લાગવા માડ્યું છે કે પાર્ટીનો આ નિર્ણય ખોટો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણાને પણ બહિષ્કારનો પાર્ટીનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, મંદિરના નિર્માણ કોર્ટના નિર્ણયથી કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. જો મોદી દેશના વડાપ્રધાન ન હોત તો આ નિર્ણય ન લેવાયો હોત અને આ મંદિર ન બન્યું હોત. હું રામ મંદિરના નિર્માણ અને તેના પવિત્ર દિવસના શુભ દિવસ માટે વડા પ્રધાન મોદીને શ્રેય આપવા માંગુ છું. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈ પણ ખ્રિસ્તી, પાદરી અથવા મુસ્લિમ રામના આમંત્રણને નકારી શકે નહીં. રામ ભારતની આત્મા છે. રામના આમંત્રણનો અસ્વીકાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરવું.
ADVERTISEMENT
#WATCH अयोध्या: कांग्रेस नेता आचार्य प्रमोद कृष्णम ने कहा, "मंदिर का जो निर्माण हुआ है वो अदालत के फैसले से हुआ है... सुप्रीम कोर्ट ने फैसला दिया और भगवान श्री राम की जन्मभूमि पर मंदिर का निर्माण शुरु हुआ और कल उसकी प्राण प्रतिष्ठा है...अगर मोदी देश के प्रधानमंत्री ना होते तो ये… pic.twitter.com/C8vVqqKYiI
— ANI_HindiNews (@AHindinews) January 21, 2024
રામ સામે નહીં પણ ભાજપ સામે લડોઃ પ્રમોદ કૃષ્ણમ
પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામના આમંત્રણનો અસ્વીકાર કરવાનો અર્થ છે ભારતની એકતાને પડકારવી. રામ વગર ભારત કે ભારતની લોકશાહીની કલ્પના પણ કરી શકાતી નથી. હું તમામ વિરોધ પક્ષોને વિનંતી કરવા માંગુ છું કે તમે ભાજપ સામે લડો, રામ સામે નહીં.
#WATCH अयोध्या: विपक्ष के नेताओं द्वारा राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के निमंत्रण को अस्वीकार करने पर कांग्रेस नेता आचार्य प्रमोद कृष्णम ने कहा, "यह दुर्भाग्य का विषय है...राम के निमंत्रण को तो कोई ईसाई, पादरी, मुसलमान भी नहीं ठुकरा सकता...राम भारत की आत्मा हैं...राम के… pic.twitter.com/8PMRiYHv08
— ANI_HindiNews (@AHindinews) January 21, 2024
કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારમાં
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે આ કાર્યક્રમના આમંત્રણને નકારી દીધું છે. વિપક્ષી નેતાઓ આ ઘટનાના રાજકીયકરણનો આરોપ લગાવી રહ્યા છે. 10 જાન્યુઆરીએ કોંગ્રેસે કહ્યું હતું કે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે રામ મંદિરના પવિત્ર કાર્યક્રમમાં સામેલ નહીં થાય.
ADVERTISEMENT
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ